Site icon News Continuous Bureau | Mumbai

પાક.ના ઇસ્લામાબાદથી ભારતીય હાઈકમિશનના બે ઉચ્ચ અધિકારીઓ ગુમ, આઈએસઆઈ દ્વારા અપહરણનો ભય, ભારતે કડક વિરોધ વ્યક્ત કર્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 જુન 2020

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદથી છેલ્લા કેટલાક કલાકોથી ભારતીય હાઈકમિશનના ભારતીય અધિકારીઓ ગુમ થયાના અહેવાલ છે. એવી આશંકા છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. આ શંકા વધુ બળવત્તર બની છે કેમ કે ભારત કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમા ભારતીય સૈન્યની કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં હંગામો છે.

લાપતા બંને કર્મચારી ISFના ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યાં હતા. આજે સવારે બંને ફરજ દરમિયાન નિયત સ્થળ પર પહોંચ્યાં ન હતા. આ સાથે આ મામલો પાકિસ્તાનના જવાબાદાર અધિકારીઓ સામે અને સાથે પાકિસ્તાન સરકારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓને પરેશાન કરવાનો મામલો સામે હજુ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. ઇસ્લામાબાદ માં ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાને પરેશાન કરવાનું કાવતરું થઇ રહ્યું હતું. 31મે ના રોજ ISI ના લોકોએ બાઇક વડે ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાનો પીછો કર્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આવી ઘટનાઓ પર ભારતીય ઉચ્ચ આયોગએ પાકિસ્તાન વિદેશ મંત્રાલયને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી છે અને ભારતના અધિકારીઓને પાકિસ્તાનમાં કડક સુરક્ષા મળે તેવી માંગ કરી છે…..

Mission 360 મોદી સરકાર હવે ‘મેજિક નંબર’ થી માત્ર આટલા ડગલાં છે દૂર; 19 જુલાઈએ મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક બોલાવાઈ!
US Fed Appointment વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની શાન, US Fed ની ટીમમાં RBI ના પૂર્વ ગવર્નર સહિત ૩ ભારતીયોની પસંદગી.
India’s Hydrogen Train ડીઝલ નહીં, વીજળી પણ નહીં, હવે હાઈડ્રોજનથી દોડી રહી છે ભારતની ટ્રેન; કેટલી સુરક્ષિત છે આ નવી ટેકનોલોજી?
E20 Petrol Testing E20 પેટ્રોલ પર ઉઠતા સવાલો વચ્ચે HPCL ના 3,600થી વધુ ટેસ્ટ; જાણો રિપોર્ટમાં શું બહાર આવ્યું!
Exit mobile version