Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીર આતંકવાદીઓની કમ્મર તૂટી રહી છે આજે વધુ બે આતંકવાદી મરાયાં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

25 મે 2020 

આઈજી કાશ્મીરના જણાવ્યાં મુજબ સોમવારે (25 મે) સવારે કુલગામ જિલ્લાના ખુર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. 

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટરના  સર્ચ ઓપરેશન દરમિયાન 34 આરઆર, સીઆરપીએફ અને કુલગામ પોલીસ સહિતના દળની સંયુક્ત ટીમે બે-ત્રણ આતંકવાદીઓને પકડ્યા હતા. આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ જવાબી કાર્યવાહી કરી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, અને આમ પોલીસે પણ સામો ગોળીબાર ના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા . મીડિયાને જણાવ્યાં મુજબ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર માં 300 થી વધુ આતંકીઓ લોંચ પેડમાં હાજર હતા, અને ભારતમાં ઘૂસણખોરીની રાહ જોઈ રહયા હતા.અને આથી જ …. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા કર્મીઓ એ  ઉચ્ચ તકેદારી રાખી હતી. 

ડીજીપીએ એમ પણ ઉમેર્યું કે આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 30 આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી થવાના અહેવાલો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરના અંતરિયાળ વિસ્તારમાં 240 થી વધુ આતંકીઓ કાર્યરત છે..

Bimal Patel International Tribunal ભારતનું ગૌરવ બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના જજ તરીકે ચૂંટાયા; આ તારીખથી સંભાળશે કાર્યભાર
Right to Walk નાગરિકોની મોટી જીત સુપ્રીમ કોર્ટે ફૂટપાથને ગણાવ્યો મૂળભૂત અધિકાર, અતિક્રમણ સામે મળશે રાહત
Energy Security Boost ભારતની ઉર્જા સુરક્ષા માટે રાહતના સમાચાર ૬૨,૩૭૦ ટન LNG લઈને ‘દિશા’ જહાજ ગુજરાત પહોંચ્યું
Telegram Faces Legal Setback ટેલિગ્રામને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો, બેન સામેની અરજી ફગાવી
Exit mobile version