Site icon News Continuous Bureau | Mumbai

UIDAI Toll-Free Helpline : યુઆઈડીએઆઈની 1947 ટોલ-ફ્રી હેલ્પલાઈન જાહેર કરી છે.

UIDAI Toll-Free Helpline : સેલ્ફ સર્વિસ આઇવીઆરએસનું સંચાલન કરવું એ 24x7ના આધારે સેલ્ફ સર્વિસ મોડમાં ઉપલબ્ધ છે, ટોલ-ફ્રી હેલ્પલાઇન 1947 આધાર સાથે સંબંધિત વિવિધ બાબતો માટે માહિતી, માર્ગદર્શન અને નિરાકરણ મેળવવા ઇચ્છતા નિવાસીઓને સેવા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે.

UIDAI has announced 1947 toll-free helpline.

UIDAI has announced 1947 toll-free helpline.

News Continuous Bureau | Mumbai 

 UIDAI Toll-Free Helpline : 

Join Our WhatsApp Channel

નાગરિક સેવાઓને સુવ્યવસ્થિત કરવા અને અવિરત સહાય પૂરી પાડવા માટે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ટોલ-ફ્રી હેલ્પલાઈન: 1947 જાહેર કરી છે. આ હેલ્પલાઇનનો ઉદ્દેશ આધાર-સંબંધિત ચિંતાઓ, પ્રશ્નો અને ફરિયાદોને(complaints) ચોવીસ કલાક ઉકેલવાનો છે, જે નિવાસીઓને તાત્કાલિક સહાય(instant help) મેળવવા માટે અનુકૂળ માર્ગ પ્રદાન કરે છે.

સેલ્ફ સર્વિસ આઇવીઆરએસનું સંચાલન કરવું એ 24×7 ના આધારે સેલ્ફ સર્વિસ(self service) મોડમાં ઉપલબ્ધ છે, ટોલ-ફ્રી હેલ્પલાઇન 1947 આધાર સાથે સંબંધિત વિવિધ બાબતો માટે માહિતી, માર્ગદર્શન અને નિરાકરણ મેળવવા ઇચ્છતા નિવાસીઓને સેવા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. જન્મ તારીખ, નામ, મોબાઇલ નંબર અથવા સરનામું જેવી વ્યક્તિગત વિગતો અપડેટ(update) કરવાની વાત હોય કે પછી પીવીસી કાર્ડ વિશે માહિતી મેળવવાની વાત હોય, હેલ્પલાઇન આધારની તમામ પૂછપરછ માટે એક વ્યાપક સ્ત્રોત છે. તદુપરાંત, નિવાસીઓ તેમના EID/UID અપડેટ્સની સ્થિતિ ચકાસી શકે છે, ઘરની નોંધણી સેવાઓ માટે સહાય મેળવી શકે છે, અને અપડેટ વિનંતીઓ નકારવા પાછળના કારણોને પણ સમજી શકે છે.

આ સેવાનો ઉપયોગ કરવા માટે, વ્યક્તિઓ તેમના લેન્ડલાઇન અથવા મોબાઇલ ફોનથી 1947 ડાયલ કરી શકે છે. આ હેલ્પલાઈન 12  ભાષાઓમાં ક્રિયાપ્રતિક્રિયાઓને સમર્થન આપે છે, જે સુનિશ્ચિત કરે છે કે સહાય માંગતી વખતે ભાષા અવરોધરૂપ નથી. 

વપરાશકર્તાઓ પાસે સ્વચાલિત આઇવીઆરએસ સિસ્ટમને નેવિગેટ કરવાનો અથવા વ્યક્તિગત સપોર્ટ માટે સીધા આધાર કેર એક્ઝિક્યુટિવ સાથે જોડાવાનો વિકલ્પ છે.

આ સમાચાર પણ વાંચો : Surat : સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી

અપડેટની વિનંતી નામંજૂર થવાના કિસ્સામાં,1947 પર કોલ કરવાથી અસ્વીકારના કારણને સમજવા અને અન્ય વિનંતી

 સુપરત કરતા પહેલા સુધારાત્મક પગલાં લેવા માટેનો માર્ગ મોકળો થાય છે. 

ફોન કર્યા બાદ નિવાસીઓને તાત્કાલિક એસએમએસ મારફતે ઇન્ટરેક્શન નંબર જારી કરાય છે, જે તેમને તેમની ફરિયાદના નિરાકરણની પ્રગતિ પર નજર રાખવા સક્ષમ બનાવે છે. તદુપરાંત, આધાર કાર્ડ એક્ઝિક્યુટિવ સાથે આ ઇન્ટરેક્શન નંબર શેર કરીને ફરિયાદોની સ્થિતિની ચકાસણી કરી શકાય છે.

જે લોકો ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર, પ્રશ્નો, પ્રતિસાદ, સૂચનો અને ફરિયાદોને પ્રાધાન્ય આપે છે તેમને પણ 

help@uidai.gov.in કરવા માટે નિર્દેશિત કરી શકાય છે. આ ઉપરાંત ઓફિશિયલ પોર્ટલ દ્વારા ઓનલાઇન ફરિયાદ 

નોંધાવી શકાશેઃ https://myaadhaar.uidai.gov.in/filecomplaint

આ ઓનલાઇન પ્લેટફોર્મ નિવાસીઓને તેમની નોંધાયેલી ફરિયાદોની સ્થિતિ પર નજર રાખવા માટે પણ સક્ષમ બનાવે છે.

ભારત સરકાર નાગરિકોને આધાર સાથે સંબંધિત બાબતો માટે યુઆઈડીએઆઈ દ્વારા પૂરા પડાતા ટોલ-ફ્રી નંબર 1947નો ઉપયોગ કરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરે છે. આ પહેલ યુઆઈડીએઆઈની આધાર સેવાઓની 

પહોંચમાં સરળતા વધારવાની અને તમામ નિવાસીઓ માટે મુશ્કેલી-મુક્ત અનુભવને સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

વધુ માહિતી અને અપડેટ્સ માટે નિવાસીઓને www.uidai.gov.in ખાતે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી કરાય છે. 

ટોલ-ફ્રી હેલ્પલાઇન 1947 અસરકારક અને સુલભ સેવાઓ મારફતે ભારતીય નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે યુઆઈડીએઆઈની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version