Site icon News Continuous Bureau | Mumbai

સેન્સર બોર્ડની લીલીઝંડી છતાં UIDAIએ ફિલ્મ ‘આધાર’ફિલ્મમાં સૂચવ્યા ૨૮ કટ; ફિલ્મના ડિરેક્ટરે આપી આ માહિતી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ હિન્દી ફિલ્મ આધારના અમુક સંવાદો સામે વાંધો ઉઠાવ્યો છે અને સેન્સર બોર્ડે ફિલ્મને લીલીઝંડી બતાવી હોવા છતાં 28 કટસૂચવ્યા છે, ફિલ્મના નિર્દેશક સુમન ઘોષે રવિવારે એક મીડિયા હાઉસને આ વિશે માહિતી આપી હતી. ફિલ્મ મુક્કાબાઝના અભિનેતા વિનીતકુમાર સિંહ અભિનીત આ ફિલ્મ, જિયો સ્ટુડિયોઝ અને દૃશ્યમ્ ફિલ્મ્સ દ્વારા સહનિર્માણ કરવામાં આવી છે.

ઘોષના જણાવ્યા અનુસાર સરકારી એજન્સીએ UIDAIના અધિકારીઓએ ભારતના તમામ રહેવાસીઓને સરળતાથી ઓળખી શકાય એ માટે 12 અંકના રેન્ડમ નંબરને આધારતરીકે  આપવાનો આદેશ આપ્યો હતો. આ એજન્સીએ જિયો સ્ટુડિયોઝને ફોન કરીને જાન્યુઆરીમાં ફિલ્મની સ્ક્રીનિંગ ગોઠવવા માટે કહ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા વર્ષ 2019માં આ ફિલ્મ ક્લીયર કરવામાં આવી હતી અને આ વર્ષની શરૂઆતમાં 5 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ એની રિલીઝના એક અઠવાડિયા પહેલાંએ અચાનક પાછી ખેંચાઈગઈ હતી.

ટોક્યો ઓલમ્પિક : મીરાબાઈ ચાનૂનો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં બદલાઈ શકે છે ? જાણો કેવી રીતે

ઘોષે આ સંદર્ભે મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે મને જાણવા મળ્યું છે કે આ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. મને જિયો સ્ટુડિયોઝ દ્વારા ફોન પર જાણ કરવામાં આવી હતી કે સરકારી એજન્સીએ ફિલ્મ જોઈ છે અને 28 કટ સૂચવ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બંગાળી લક્ષણ પદોકફેપઅને નોબેલ વિજેતા અમર્ત્ય સેન પરની બાયોગ્રાફી ધ આર્ગમેંટેટિવ ઇન્ડિયનમાટે જાણીતા ફિલ્મનિર્માતાએ કહ્યું કે હાલની પરિસ્થિતિથી તેઓ દુવિધાજનક છે.

ઉલ્લેખનીય છે કે આ બાબતે UIDAIને મોકલેલા મેઇલનો જવાબ મળ્યો ન હતો.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version