Site icon

ULFA News: આસામમાં ઉગ્રવાદ ખતમ… આ જૂથે હથિયાર હેઠા મુક્યા, અપનાવ્યો શાંતિનો માર્ગ..

ULFA News ULFA, Assam Govt, Centre Sign Historic Peace Deal; Shah Calls It ‘Big Day’ For State

ULFA News ULFA, Assam Govt, Centre Sign Historic Peace Deal; Shah Calls It ‘Big Day’ For State

 News Continuous Bureau | Mumbai  

ULFA News: કેન્દ્રની મોદી સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) અને આસામ વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 40 વર્ષમાં પ્રથમ વખત સશસ્ત્ર આતંકવાદી સંગઠન ULFAના પ્રતિનિધિઓ અને આસામ સરકાર વચ્ચે શાંતિ સમાધાન કરારના મુસદ્દા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પૂર્વોત્તરમાં ભારત સરકારના શાંતિ પ્રયાસો તરફ આ એક મોટું પગલું છે. કારણ કે, ઉલ્ફા છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તર પૂર્વમાં સશસ્ત્ર સુરક્ષા દળો સામે હિંસક સંઘર્ષ કરી રહ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહએ આ લોકોને આપ્યો શ્રેય 

મીડિયા રિપોર્ટ મુજબ આનો શ્રેય ઉલ્ફાના પ્રતિનિધિઓને આપતાં ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે તેમના પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ કરારના તમામ પાસાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ હાજર રહ્યા હતા.નોંધનીય છે કે છેલ્લા 12 વર્ષથી કેન્દ્ર સરકાર અરબિન્દા રાજખોવાના નેતૃત્વ હેઠળના જૂથ સાથે વાતચીત કરી રહી હતી.

ULFAના આ જૂથે 2011 થી ઉપાડ્યા નથી શસ્ત્રો 

ઉલ્ફાના એક જૂથ એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામના 20 નેતાઓ છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં હતા. ભારત સરકાર અને આસામ સરકારના ટોચના અધિકારીઓ હસ્તાક્ષર માટે આ કરારનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા હતા. શાંતિ કરાર પર હસ્તાક્ષર કરનાર ઉલ્ફાનો જૂથ અનુપ ચેટિયા જૂથનો છે. ULFAના આ જૂથે 2011 થી શસ્ત્રો ઉપાડ્યા નથી પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે ઔપચારિક શાંતિ કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને બંને પક્ષોના પ્રતિનિધિઓએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. ઉત્તર-પૂર્વમાં સશસ્ત્ર આતંકવાદી સંગઠનો સાથે આ વર્ષે ભારત સરકારનો આ ચોથો મોટો કરાર છે.

આ સમાચાર પણ વાંચો : Small Saving Schemes Rate: મોદી સરકારની દેશવાસીઓને New Year ગિફ્ટ, સુકન્યા સહિતની આ યોજનાના વ્યાજ દરમાં કર્યો વધારો..

આસામના લોકોને મળશે  રોજગારી 

વિશ્લષકોના મતે આ સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે આસામના લોકોની સાંસ્કૃતિક વિરાસતની રક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત આસામના લોકોને રોજગારી આપવામાં આવશે. જે લોકો ઉલ્ફામાં સામેલ હતા તેમને પણ રોજગાર આપવામાં આવશે. સશસ્ત્ર ચળવળ છોડી ચૂકેલા ઉલ્ફાના સભ્યોને મુખ્ય પ્રવાહમાં લાવવા સરકાર સહકાર આપશે.

ઉલ્ફાની રચના 1979માં થઈ હતી

ઉલ્ફાનું ગઠન 1979માં “સાર્વભૌમ આસામ”ની માંગ સાથે કરવામાં આવ્યું હતું. ત્યારથી, તે વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે જેના કારણે કેન્દ્ર સરકારે તેને 1990માં પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. ભારત સરકાર ઉલ્ફા સાથે ઘણી વખત વાત કરવા માંગતી હતી. પરંતુ ULFAની અંદરની લડાઈને કારણે આ પ્રયાસમાં અવરોધ બનતો રહ્યો.  1991માં આ સંગઠનના લગભગ 9 હજાર લોકોએ આત્મસમર્પણ કર્યું હતું. રાજખોવાની 2008માં પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાજખોવા શાંતિ કરાર તરફ આગળ વધ્યા, ત્યારે આ સંગઠન બે જૂથોમાં વિભાજિત થયું હતું.

Exit mobile version