Site icon News Continuous Bureau | Mumbai

વગર રિઝર્વેશને કરી શકશો ટ્રેન ની મુસાફરી.જાણો કયા રૂટ પર દોડશે ટ્રેન.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ.3 એપ્રિલ 2021.
શનિવાર.
      ઇન્ડિયન રેલવે પોતાના પ્રવાસીઓ ની સુવિધા માટે ટ્રેનો ની સંખ્યામાં વધારો કરતી જાય છે.પ્રવાસીઓ ને રેલ મુસાફરી માં વધારે માં વધારે વિકલ્પ મળી રહે તે માટે નવી સ્પેશ્યલ ટ્રેનો ની ઘોષણા પણ થતી જ રહે છે.


       ભારતીય રેલ્વે વધુ અનઆરક્ષિત ટ્રેન સેવાઓ ચલાવવા માટે તૈયાર છે. રેલ્વે મુસાફરો માટે પરિવહન સુવિધા વધારવાના દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર 5 એપ્રિલ 2021 થી 71 અનઆરક્ષિત ટ્રેન સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલના કહેવા પ્રમાણે, ‘આ 71 અનઆરક્ષિત ટ્રેનો મુસાફરોની સલામત અને આરામદાયક યાત્રાને સુનિશ્ચિત કરશે.
         રેલ્વેએ પાંચ એપ્રિલથી જે 71 લોકલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે, તેમાંથી 17 દિલ્હી-એનસીઆર સબંધિત છે. આ તમામ ટ્રેનોને એક્સપ્રેસ બનાવીને ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પાંચ એપ્રિલથી પાનીપત, કુરૂક્ષેત્ર, ગાજિયાબાદ, રેવાડી, પલવલ, સહારનપુર, અંબાલા, શામલી વગેરે રૂટ પર ટ્રેન ચાલશે.

Join Our WhatsApp Channel
India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Exit mobile version