છેલ્લા ઘણા દિવસથી શિવસેનાના નેતા સંજય રાઉત વારંવાર કહી રહ્યા છે કે શરદ પવારને યુપીએ એટલે કે કોંગ્રેસ સહિતના વિપક્ષના તમામ પાર્ટીઓ નું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવે.આ માટે સંજય રાઉત સાર્વજનિક રીતે વારંવાર નિવેદન આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે એક પગલું આગળ જતા સંજય રાઉતે કહ્યું છે કે દિલ્હીમાં યુપીએ ૨ બનવાનું છે.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જો આવુ થશે તો ભારતીય જનતા પાર્ટી માટે આગામી ચૂંટણી નો રસ્તો સાફ થઈ જશે.અને આથી વહેલામાં વહેલી તકે શરદ પવારને યુપીએના નેતા બનાવવા જોઈએ.
આમ મહારાષ્ટ્રમાં એક તરફ શિવસેનાના સત્તા બચાવવાના ફાંફા છે ત્યારે બીજી તરફ તેને દિલ્હીની સત્તા ની ચિંતા થઈ રહી છે.
