Site icon

Uttar Pradesh: હલાલના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય… ઉત્તર પ્રદેશમાં આજે ઉજવાશે નો નોનવેજ દિવસ.. જાણો કારણ…

Uttar Pradesh: યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે 25 નવેમ્બરને “નોન-વેજ ડે” તરીકે જાહેર કર્યો છે. સાધુ ટીએલ વાસવાણીને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે 25 નવેમ્બરને નોન-વેજ ડે તરીકે જાહેર કરવાનો યુપી સરકારનો નિર્ણય છે….

Uttar Pradesh Uttar Pradesh government's big decision amid Halal controversy... Non-Wage Day will be celebrated in Uttar Pradesh today.

Uttar Pradesh Uttar Pradesh government's big decision amid Halal controversy... Non-Wage Day will be celebrated in Uttar Pradesh today.

News Continuous Bureau | Mumbai

Uttar Pradesh: યોગી આદિત્યનાથ ( Yogi Adityanath ) ની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે 25 નવેમ્બરને “નો નોન-વેજ ડે” ( No Non- Veg Day ) તરીકે જાહેર કર્યો છે. સાધુ ટીએલ વાસવાણી ( TL Vaswani ) ને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે 25 નવેમ્બરને નોન-વેજ ડે તરીકે જાહેર કરવાનો યુપી સરકારનો ( UP Govt ) નિર્ણય છે. સરકારના પરિપત્ર મુજબ, આ દિવસે રાજ્યમાં તમામ કતલખાના અને માંસની દુકાનો બંધ રહેશે.

Join Our WhatsApp Community

સરકારે સત્તાવાળાઓને કહ્યું છે કે તેઓ ખાતરી કરે કે આ આદેશનું રાજ્યભરમાં ચુસ્તપણે પાલન થઈ રહ્યુ છે કે નહી. યુપી સરકારે તેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, “સાધુ ટીએલ વાસવાણીની જન્મજયંતિના સન્માનમાં અને અગ્રણી નેતાઓ દ્વારા હિમાયત કરાયેલા અહિંસાના સિદ્ધાંતોને સમર્થન આપવા માટે, 25 નવેમ્બરના રોજ “નો નોન-વેજ ડે” મનાવવામાં આવશે. પરિણામે, તમામ કતલખાનાઓ અને માંસની દુકાનો ( Meat shops ) આ પ્રસંગે બંધ રહેશે.”

સાધુ થનવરદાસ લીલારામ વાસવાણી ( Thanwardas Lilaram Vaswani ), એક શિક્ષણશાસ્ત્રી હતા, જેમણે મીરા ચળવળની શરૂઆત કરી હતી, તેમનો જન્મ 25 નવેમ્બર, 1879 ના રોજ થયો હતો. સાધુ વાસવાણી મિશન, જે સાધુ ટીએલ વાસવાણીના જીવન અને મિશનને આગળ વધારવા માટે અસ્તિત્વમાં છે, તે વાસવાણીના જન્મદિવસ પર 25 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય માંસ વિનાનો દિવસ ઉજવે છે. કારણ કે તેમણે શાકાહારી જીવનની સાર્વત્રિક પ્રથાની ભારપૂર્વક હિમાયત કરી હતી. 16 જાન્યુઆરી, 1966ના રોજ 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

ઉત્તર પ્રદેશ સરકારે હલાલ સર્ટિફિકેશન પ્રોડક્ટ પર પ્રતિબંઝ લગાવ્યો છે….

તાજેતરની જાહેરાત યુપી સરકારે હલાલ-પ્રમાણિત ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદ્યાના દિવસો પછી આવી છે. 18 નવેમ્બરના રોજ, યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે એક આદેશ જારી કર્યો હતો જેમાં હલાલ પ્રમાણપત્ર સાથે ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ  Hardik Pandya: હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં કરશે વાપસી! મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ શકે છે આ મોટી ડીલ: એહેવાલ.. જાણો વિગતે..

સત્તાવાર રીલીઝ મુજબ, ઉત્તર પ્રદેશમાં હલાલ-પ્રમાણિત દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ અથવા પેઢી સામે કડક કાયદાકીય પગલાં લાગુ કરવામાં આવશે. જો કે, નિકાસ માટે ઉત્પાદિત ઉત્પાદનો પ્રતિબંધોને આધિન રહેશે નહીં.

પ્રેસનોટમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારને તાજેતરમાં એવી માહિતી મળી છે જે દર્શાવે છે કે ડેરી આઈટમ્સ, ખાંડ, બેકરી પ્રોડક્ટ્સ, પેપરમિન્ટ ઓઈલ, તૈયાર પીણાં અને ખાદ્ય તેલ જેવા ઉત્પાદનોને હલાલ પ્રમાણપત્ર સાથે લેબલ કરવામાં આવે છે. હલાલ સર્ટિફિકેશન, સમાંતર પ્રણાલી તરીકે કાર્યરત, ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે મૂંઝવણ ઊભી કરે છે, આ સંદર્ભે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરે છે, એમ અખબારી યાદીમાં જણાવાયું છે.

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version