Site icon News Continuous Bureau | Mumbai

Uttarakhand High Court: મહિલાઓ બળાત્કાર વિરોધી કાયદાનો ગેરલાભ ઉઠાવી રહી છે, હાઈકોર્ટની ટીપ્પણી…. જાણો શું છે મુદ્દો…

Uttarakhand High Court: એક મહિલાએ તેના પાર્ટનર પર લગ્ન કરવાની ના પાડતા બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ સમયે જસ્ટિસ શર્માએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે જો પતિ-પત્ની લગ્ન કરવાનો ઇનકાર કરે તો સહમતિથી શારીરિક સંબંધોને બળાત્કાર ન કહી શકાય.

Women use anti-rape laws as 'weapon' against spouses, says HC…

UttaraKhand High Court: મહિલાઓ બળાત્કાર વિરોધી કાયદાનો ગેરલાભ ઉઠાવી રહી છે, હાઈકોર્ટની ટીપ્પણી.... જાણો શું છે મુદ્દો…

 News Continuous Bureau | Mumbai 

 આજકાલ, સ્ત્રીઓ મતભેદ પછી તેમના પુરૂષ ભાગીદારો પર બળાત્કાર (Rape) નો આરોપ મૂકે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટ (Uttarakhand High Court) ના જસ્ટિસ શરદ શર્માએ ટીકા કરી છે, કે મહિલાઓ બળાત્કાર વિરોધી કાયદાનો ઉપયોગ તેમના પુરૂષ ભાગીદારો સામે હથિયાર તરીકે કરી રહી છે.

Join Our WhatsApp Channel

એક મહિલાએ તેના પાર્ટનર પર લગ્ન કરવાની ના પાડતા બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ સમયે જસ્ટિસ શર્મા (Justice Sharma) એ કહ્યું કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે જો પતિ-પત્ની લગ્ન કરવાનો ઇનકાર કરે તો સહમતિથી શારીરિક સંબંધોને બળાત્કાર ન કહી શકાય. હાલમાં, મહિલાઓ તેમના પુરૂષ ભાગીદારો વિરુદ્ધ IPCની કલમ 376નો દુરુપયોગ કરી રહી છે.

  શું છે મામલો?

30 જૂન 2020ના રોજ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેણીએ જણાવ્યું હતું કે તેણી 2005 થી આરોપી પતિ સાથે સંબંધમાં હતી. બંને એકબીજાના પ્રેમમાં હતા, અને નોકરી મળ્યા બાદ લગ્ન કરવાની યોજના બનાવી હતી. પરંતુ નોકરી મળ્યા બાદ આરોપીએ અન્ય મહિલા સાથે સંબંધ શરૂ કર્યો હતો. આરોપીના લગ્ન પછી પણ અમારો સંબંધ ચાલુ રહ્યો. તેણે મને લગ્નની લાલચ આપીને મારો ગેરલાભ ઉઠાવ્યો અને મારું યૌન શોષણ કર્યું.

આ સમાચાર પણ વાંચો : Raigad landslide: 9 વર્ષના છોકરાના માથે તુટી પડી મોટી આફત… પરિવારના 12 સભ્યો ગુમાવ્યા.. છોકરો આ દુર્ઘટનાથી…. વાંચો અહીંયા આ કરુણ ઘટના..

 હાઈકોર્ટની ટીપ્પણી

મામલો હાઈકોર્ટમાં ગયા બાદ કોર્ટે આ અંગે ટીકા કરી હતી. તેનો પાર્ટનર પરિણીત હોવાનું જાણીને મહિલાએ સ્વેચ્છાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સ્પષ્ટ છે કે આ સંબંધમાં બંનેની સંમતિ હતી. તેથી સહમતિથી બનેલા સંબંધોને બળાત્કાર કહી શકાય નહીં, એમ જસ્ટિસ શર્માએ જણાવ્યું હતું.

  …તે પછી જ તેની અધિકૃતતા ચકાસવી જરૂરી છે

સંમતિપૂર્ણ સંબંધમાં રહેતા હોય ત્યારે જ લગ્નના વચનની સત્યતા ચકાસવી જરૂરી છે. એકવાર તમે સહમતિથી સાથે રહેવાનું શરૂ કરો અથવા સંબંધ બાંધો કે નહીં. હાલના કેસમાં એવું લાગે છે કે બંને છેલ્લા 15 વર્ષથી રિલેશનશિપમાં છે. આરોપીના લગ્ન પછી પણ બંને વચ્ચેનો સંબંધ ચાલુ રહ્યો હતો. તેથી શરૂઆતમાં આપવામાં આવેલી ખાતરીને આવા તબક્કે માની શકાય નહીં, એમ પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

 

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version