News Continuous Bureau | Mumbai
Vande Bharat Trains: વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર છે. હવેથી, તેમને વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક લિટર પાણીની બોટલને બદલે અડધા લિટરની બોટલ એટલે કે 500 mlની રેલ નીરની બોટલ જ આપવામાં આવશે. ઉત્તર રેલ્વેએ આ અંગે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. રેલવેએ તેના નિર્ણય પાછળનું કારણ પણ આપ્યું છે.
જાહેર જનતાને આપવામાં આવેલી આ માહિતીમાં, તમામ સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે કિંમતી પીવાના પાણીનો બગાડ ( Water Wastage ) બચાવવા માટે, રેલ્વેએ વંદે ભારતમાં દરેક મુસાફરોને 500 mlની એક રેલ નીર પેકેજ્ડ પીવાના પાણીની બોટલ ( water bottle) (PDW) આપવાનું નક્કી કર્યું છે. જેમાં વંદે ભારત ટ્રેનોમાં જો કોઈ મુસાફરને વધુ પાણી જોઈએ છે. તો 500 ml ની બીજી રેલ નીર PDW બોટલ કોઈ વધારાના ચાર્જ વગર મુસાફરોને આપવામાં આવશે.
Vande Bharat Trains: કેટલાક મુસાફરો પાણીનો સંપૂર્ણ વપરાશ કરતા નથી, જેના કારણે પાણીનો બગાડ થાય છે…
વંદે ભારત ટ્રેનોમાં પાણી ઘટાડા અંગે રેલ્વેની ( Indian Railways ) દલીલ એવી છે કે કેટલાક મુસાફરો પાણીનો સંપૂર્ણ વપરાશ કરતા નથી, જેના કારણે પાણીનો બગાડ થાય છે. જો કે રેલ્વે મુસાફરોને 1 લીટર સુધીના પાણીની જોગવાઈ હજુ પણ ટ્રેનના ભાડામાં ( Train fare ) કોઈપણ વધારાની ફી વસૂલ્યા વિના સામેલ છે, પરંતુ તેને બે ભાગમાં વહેંચવામાં આવી છે. આનો અર્થ એ થયો કે મુસાફરોને હવે મૂળભૂત રીતે 1 લીટરને બદલે 500 mlની બોટલ મળશે અને ફરી પૂછવા પર, યાત્રીને બીજી વખત 500 mlની બોટલ પણ મફતમાં મળશે.
આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu: માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે: રાષ્ટ્રપતિ મુર્મુ
જો કે દેશમાં શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોમાં ( Shatabdi Express trains ) અડધા લિટરની પાણીની બોટલ આપવાની વ્યવસ્થા પહેલેથી જ છે, પરંતુ વંદે ભારત અને શતાબ્દી ટ્રેનોના સંચાલનનામાં તફાવત છે. ઘણી વંદે ભારત ટ્રેનો મુસાફરીમાં ઓછામાં ઓછા 8 કલાક લે છે અને આ સમય દરમિયાન અડધો લિટર પાણીનો વપરાશ થઈ શકે છે. રેલ્વે મુસાફરો 1 લીટરની બોટલમાંથી આખું પાણી પી શકતા ન હોવા છતાં, જ્યારે તેમને 500 મિલી પાણી મળે છે. તેમજ જો તેમને હજુ વધુ પાણી જોઈએ છે તો તેઓ વંદે ભારત ટ્રેનોમાં ફરિ વાર પૂછી શકે છે. જે તેઓને વિનામૂલ્યે આપવામાં આવશે.
