Site icon

વડાપ્રધાનના ચુંટણી ફોર્મ પર સહી કરનાર વારાણસીના ‘ડોમ રાજા’ જગદીશ ચૌધરીનું નિધન, પીએમ મોદી- સીએમ યોગી એ વ્યક્ત કરી ઊંડી સંવેદના..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

26 ઓગસ્ટ 2020

વારાણસી બેઠકના સાંસદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થક ડોમ રાજા જગદીશ ચૌધરીનું નિધન થયું છે. જગદીશ ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. નોંધનીય છે કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં જગદીશ ચૌધરી પીએમ મોદીના સમર્થક હતા.

જગદીશ ચૌધરીના નિધન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, 'વારાણસીના ડોમ રાજા જગદીશ ચૌધરીના નિધનથી મોટું દુ:ખ થયું છે. તે કાશીની સંસ્કૃતિમાં સ્થાયી થયા અને ત્યાંની સનાતન પરંપરાનો વાહક હતાં. તેમણે જીવનભર સામાજિક સમરસતા માટે કામ કર્યું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ વેદના સહન કરવાની શક્તિ આપે.'

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જગદીશ ચૌધરીના નિધન પર શોક દર્શાવ્યો છે. સીએમ યોગીએ કહ્યું, '2019 ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક એવા ડોમ રાજા જગદીશ ચૌધરીનું નિધન થયું. સાદર નમન. આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ માત્ર બનારસ માટે જ નહીં, પરંતું દેશ વિદેશમાં ડોમ રાજા જાણીતા હતાં.

અત્રે નોંધનીય છે કે, 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ચાર પ્રસ્તાવો હતા. ડોમ રાજા જગદીશ ચૌધરી, બીએચયુના મહિલા કોલેજના પૂર્વ આચાર્ય ડો.અન્નપૂર્ણા શુક્લા, ભાજપના વરિષ્ઠ કાર્યકર સુભાષ ગુપ્તા અને જનસંઘના વૈજ્ઞાનિક ડો.રામશંકર પટેલ સમર્થક હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થક બનવા પર ડોમ રાજા જગદીશ ચૌધરીએ કહ્યું હતું કે, 'પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષે અમને આ ઓળખ આપી છે અને તે પણ ખુદ વડા પ્રધાને.'  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
History of Indian CurrencyMahatma Gandhi: ભારતીય નોટો પર ગાંધીજી પહેલા કોનો ફોટો હતો? બ્રિટિશ છાપ હટાવવાથી લઈને ‘બાપુ’ સુધીની સફરની રોમાંચક કહાની.
Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Exit mobile version