Site icon

Vijay Kumar Malhotra: BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન, શિક્ષણ અને ખેલ પ્રશાસનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન.

BJPના વરિષ્ઠ નેતા અને દિલ્હી BJPના પ્રથમ અધ્યક્ષ પ્રો. વિજય કુમાર મલ્હોત્રાનું ૯૪ વર્ષની વયે દિલ્હીની એમ્સમાં નિધન; રાજકારણ, શિક્ષણ અને ખેલ પ્રશાસનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન.

Vijay Kumar Malhotra BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન

Vijay Kumar Malhotra BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન

News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ દિલ્હી BJPના પ્રથમ અધ્યક્ષ પ્રો. વિજય કુમાર મલ્હોત્રાનું ૯૪ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેઓ લાંબા સમયથી દાખલ હતા. ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રો. મલ્હોત્રાનો ઉલ્લેખ કર્યો હતો, જે તેમના રાજકીય યોગદાન અને સમાજ સેવાને સન્માન આપવા સમાન હતું. તેમનું નિધન ભારતીય રાજકારણ અને દિલ્હી BJP માટે એક મોટી ક્ષતિ માનવામાં આવે છે.

કોણ હતા વિજય કુમાર મલ્હોત્રા?

વિજય કુમાર મલ્હોત્રાનો જન્મ ૩ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ લાહોર, પંજાબ (હવે પાકિસ્તાન) માં થયો હતો. તેઓ કવિરાજ ખજાન ચંદના સાત બાળકોમાં ચોથા હતા. મલ્હોત્રા ભારતીય રાજકારણ અને ખેલ પ્રશાસનમાં પોતાની છબી માટે જાણીતા હતા. તેમણે દિલ્હી પ્રદેશ જનતા સંઘના અધ્યક્ષ (૧૯૭૨-૧૯૭૫) અને ૨ વખત દિલ્હી BJPના અધ્યક્ષ (૧૯૭૭-૧૯૮૦, ૧૯૮૦-૧૯૮૪) તરીકે કાર્ય કર્યું. તેમના સક્રિય યોગદાનના કારણે BJP દિલ્હીમાં મજબૂતીથી સ્થાપિત રહી.

Join Our WhatsApp Community

ચૂંટણીલક્ષી સિદ્ધિઓ અને ઓળખ

મલ્હોત્રાની સૌથી મોટી રાજકીય સિદ્ધિ ૧૯૯૯ની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને ભારે મતોથી હરાવવાનું માનવામાં આવે છે. તેમણે છેલ્લા ૪૫ વર્ષોમાં દિલ્હીથી ૫ વખત સાંસદ અને ૨ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી. ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીમાં તેઓ દિલ્હીમાંથી BJPના એકમાત્ર વિજયી ઉમેદવાર હતા. પોતાના રાજકીય કારકિર્દીમાં મલ્હોત્રાએ હંમેશા સાફ-સુથરી છબી જાળવી રાખી અને સન્માનજનક યોગદાન આપ્યું.

આ સમાચાર પણ વાંચો : Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ

શિક્ષણ અને સામાજિક કાર્ય

મલ્હોત્રા ફક્ત રાજકારણી જ નહીં, પણ એક શિક્ષણવિદ્ પણ હતા. તેમને હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત હતી. આ ઉપરાંત તે ખેલ પ્રશાસનમાં પણ સક્રિય હતા અને દિલ્હીના શતરંજ તેમજ તીરંદાજી ક્લબોના સંચાલનમાં સામેલ રહ્યા. રાજકારણ, શિક્ષણ અને ખેલના ક્ષેત્રમાં તેમનું યોગદાન આજે પણ યાદ કરવામાં આવશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત રહેશે.

BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Sonam Wangchuk Arrest: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ, રાજસ્થાન ની આ જેલમાં કરાયા શિફ્ટ
Exit mobile version