Site icon News Continuous Bureau | Mumbai

Toyota : ટોયોટા કિર્લોસ્કરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) ના મિકેનિકલ એન્જિનિયરિંગ સ્નાતક, વિક્રમ કિર્લોસ્કરે 1997 માં જાપાની કંપની ટોયોટા મોટર કોર્પને ભારતમાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Toyota recalls vehicles over fire risk: Toyota recalled 1.68 lakh vehicles from the market; This is because, know in detail

Toyota recalls vehicles over fire risk: Toyota recalled 1.68 lakh vehicles from the market; This is because, know in detail

News Continuous Bureau | Mumbai

વિક્રમ કિર્લોસ્કર (Vikram Kirloskar) , એક પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટોયોટા (Toyota) કિર્લોસ્કર મોટર્સના વાઇસ ચેરમેન હતા, મંગળવારે મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેઓનું મૃત્યુ થયું છે. તેઓ 64 વર્ષના હતા.

Join Our WhatsApp Channel

ટોયોટા મોટર્સ ઈન્ડિયાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોતાના સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું છે કે  “29મી નવેમ્બર 2022ના રોજ ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન શ્રી વિક્રમ એસ. કિર્લોસ્કરના અકાળે અવસાનથી અમને અત્યંત દુઃખ થાય છે. આ દુઃખના સમયે, અમે તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. અમે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. 30મી નવેમ્બર 2022ના રોજ બપોરે 1 વાગ્યે હેબ્બલ સ્મશાનગૃહ, બેંગલુરુ ખાતે અંતિમ આદર આપવામાં આવી શકે છે, ” ઓટોમેકરે એક ટ્વિટમાં જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Viral video : ઓરાઈમાં કોર્ટ પરિસરમાં દંપતી વચ્ચે જૂતાં અને ચપ્પલ સાથે જોરદાર લડાઈ, વીડિયો વાયરલ

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) ના મિકેનિકલ એન્જિનિયરિંગ સ્નાતક, વિક્રમે 1997 માં જાપાની કંપની ટોયોટા મોટર કોર્પને ભારતમાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટોયોટા-કિર્લોસ્કર બેંગલુરુ નજીકના રામનગર જિલ્લાના બિદાડીમાં ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે, જેને માનવામાં આવે છે. દેશના સૌથી મોટા ઓટોમોટિવ પ્લાન્ટ્સમાં સામેલ છે.

તેઓ 1888માં સ્થપાયેલા કિર્લોસ્કર જૂથના ચોથી પેઢીના સભ્ય છે. તેમના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર અને પુત્રી માનસી કિર્લોસ્કર છે.

તેમના મૃત્યુ પર અનેક રાજકીય તેમજ વેપારી હસ્તીઓએ પોતાનો શોક સંદેશ પાઠવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Dharavi Redevelopment : અદાણી ગ્રુપ ધારાવીને રિડેવલપ કરશે; પાંચ હજાર કરોડની બોલી જીતી 

US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Rahul Gandhi NEET Paper Leak Families NEET વિવાદ પર રાજકારણ ગરમાયું પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ માંગ
Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Exit mobile version