Site icon News Continuous Bureau | Mumbai

શીખ આતંકવાદને પુનર્જીવિત કરનાર, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા પરમજીત પંજવારની પાકિસ્તાનમાં હત્યા

Wanted Khalistani terrorist Paramjit Singh Panjwar gunned down in Lahore

Wanted Khalistani terrorist Paramjit Singh Panjwar gunned down in Lahore

   News Continuous Bureau | Mumbai

ખાલિસ્તાનના નામે આતંકવાદી ગતિવિધિઓ અને ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ માર્યો ગયો છે. પંજવાર પાકિસ્તાનમાં જ સ્થાયી થયો હતો, તે પાકિસ્તાન પ્રાયોજિત ખાલિસ્તાની આતંકવાદનો ભાગ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાલિસ્તાન સમર્થક કહેવાતા પંજવારને મોટરસાઇકલ પર સવાર બે લોકોએ ગોળી મારી દીધી હતી. આ હત્યા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનની આતંકવાદી એજન્સીએ તેને અંજામ આપ્યો છે.

Join Our WhatsApp Channel

ખાલિસ્તાન તરફી આતંકવાદી પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ પાકિસ્તાનના લાહોરના જોહર ટાઉનમાં રહેતો હતો. તે સવારે તેના ઘરની આસપાસ ફરવા જઈ રહ્યો હતો ત્યારે બે મોટરસાઈકલ સવારોએ આવીને પંજવારને માર માર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને લોકો એકઠા થઈ ગયા અને પંજવારને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તે પહેલા જ પંજવારે જીવ ગુમાવ્યો હતો. ભારતે વર્ષ 2020માં પંજવારને આતંકવાદી જાહેર કર્યો હતો.

પંજવાર કોણ હતો?

પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહનો જન્મ પંજાબના તરનતારનમાં થયો હતો. તે સોહલમાં બેંકમાં નોકરી પણ કરતો હતો. પરંતુ, તે ગુનાહિત માનસિકતાનો હતો. જેના કારણે તે શીખ ઉગ્રવાદ તરફ ગયો. જે બાદ તે હત્યા, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં સામેલ થયો હતો. આમાં તેને પાકિસ્તાનની આતંકવાદી એજન્સીની મદદ મળી અને તેણે 1986માં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સની રચના કરી. જ્યારે ભારત સરકારે તેના દુષ્કર્મ પર કડક પગલાં ભરવાની પહેલ કરી ત્યારે તે પાકિસ્તાનમાં તેના આકાઓ પાસે ભાગી ગયો હતો. ત્યાંથી પંજવાર દાણચોરી દ્વારા ડ્રગ્સ અને હથિયાર પંજાબ મોકલતો હતો.

 આ સમાચાર પણ વાંચો : Go First તમામ ફ્લાઇટ કેન્સલેશનને 12 મે સુધી લંબાવ્યું

પાકિસ્તાન તરફથી ભારત સામે આતંક

પરમજીત સિંહ પંજવાર પાકિસ્તાનના લાહોરમાં રહેતો હતો. ત્યાં ખાલિસ્તાનના નામે રેડિયો પાકિસ્તાન દ્વારા ભારત વિરોધી ઉશ્કેરણીજનક અને દેશદ્રોહી કાર્યક્રમો પ્રસારિત કરતો હતો. તે પંજાબના યુવાનોને ઉશ્કેરીને હથિયારોની તાલીમ ગોઠવવામાં વ્યસ્ત હતો. આરોપ છે કે, આ માટે પંજવારે પંજાબના સ્થાનિક અપરાધી યુવકોને પસંદ કર્યા હતા. પંજવાર પંજાબના યુવાનોને નશાની લતમાં ધકેલવાનો મોટો આરોપી હતો.

ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ એક આતંકવાદી સંગઠન

પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ પર ટાડા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ હેઠળ બેથી વધુ કેસ નોંધાયેલા છે. 1986-87ની વચ્ચે જ્યારે પંજાબમાં ખાલિસ્તાનના નામે આતંકવાદી સંગઠનો બનાવવાનો પવન હતો, તે જ સમયે વસન સિંહ ઝફરવાલે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સની શરૂઆત કરી હતી. બાદમાં પંજાબ પોલીસના ફરાર કોન્સ્ટેબલ અને પંજવારના રહેવાસી સુખદેવ સિંહ ઉર્ફે સુખા ઝફરવાલ સાથે જોડાયા હતા. સુખા 1989માં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ પછી કંવરજીત સિંહ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ચીફ બન્યા અને જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે પરમજીત સિંહ પંજવાર ચીફ બન્યા. જ્યારે ભારત સરકારે પંજવાર પર પોતાની પકડ વધુ કડક કરી ત્યારે પંજવાર પોતાનો જીવ બચાવીને પાકિસ્તાન ભાગી ગયો હતો.

 આ સમાચાર પણ વાંચો : માત્ર 5 વર્ષમાં AI માનવ મગજની સમકક્ષ થશે, ત્યારે કેવું વાતાવરણ નિર્માણ થશે?

Ram Mandir Donation Probe રામ મંદિર ચંદા ચોરીની તપાસ પર સીધી નજર રાખવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, SIT અંગે કરી આ મહત્વની ટિપ્પણી
AntiPaper LeakBill Discussion સરકારવિપક્ષ વચ્ચે મડાગાંઠનો અંત? એન્ટી પેપર લીક બિલ પર આવતીકાલે ચર્ચા અને મતદાન
Bihar AK47 Shooting બિહારમાં AK47 નો ઓર્ડર કોણે આપ્યો અને કેટલા લોકો ઘાયલ થયા ? રાહુલ ગાંધીના પ્રહારો
Sonam Wangchuk Discharge Hospital હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સોનમ વાંગચુકનો નવો વીડિયો વાયરલ, કહ્યું ઘરે જતાં પહેલાં આ ખાસ જગ્યાએ જશે..
Exit mobile version