ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી ડોમિનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ અને બારબુડા પહોચી ગયો છે.
એન્ટીગુઆ પહોંચ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારતીય તપાસ એજન્સીઓ પર અપહરણ અને કારોબાર બંધ કરાવવા સહિત અનેક આરોપ લગાવ્યા છે.
ભાગેડુ મેહુલે કહ્યું કે, પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે ભારત પરત ફરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો હતો, પરંતુ ભારતીય એજન્સી દ્વારા કિડનેપિંગ બાદ તે ભારતમાં પોતાની સુરક્ષા વિશે આશંકિત છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી 2018થી એન્ટીગુઆ અને બારબુડામાં રહે છે, તેને ત્યાની નાગરિકતા પણ લીધી છે.
સારા સમાચાર : મુંબઈની પાણીની સમસ્યામાં મળશે રાહત, મુશળધાર વરસાદમાં તુલસી તળાવ છલકાઈ ગયું; જુઓ વિડિયો
