Site icon News Continuous Bureau | Mumbai

સલામ છે જવાનોને! ITBPના જવાનો 15,000 ફૂટની ઊંચાઈએ ભારે બરફ અને થીજી જવાની સ્થિતિમાં લઈ રહ્યા છે તાલીમ, જુઓ વિડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

ગુરુવાર, 

ભારતીય સેના એવી પરિસ્થિતિઓમાં પોતાની સરહદની સુરક્ષા કરે છે, જેના કારણે દરેક ભારતીય સુરક્ષિત અનુભવે છે. સાથે જ સૈનિકોની હિંમત જોઈને સૌની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. ઉત્તરાખંડના હિમાલય માંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને સૈનિકો પર ગર્વ થશે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો ઉત્તરાખંડ હિમાલયની આસપાસ 15,000 ફૂટ બરફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.  

ITBPના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું, ‘તાલીમ શ્રેષ્ઠ છે. તમામ સંજોગોમાં તાલીમ માટે પ્રતિબદ્ધતા. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના કર્મચારીઓ ઉત્તરાખંડમાં માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારે બરફ અને થીજી જવાની સ્થિતિમાં છે.

અરે વાહ, પર્યટકોને મળશે મુંબઈમાં નવું પર્યટન સ્થળ, આ વિસ્તારમાં બનશે આંતરરાષ્ટ્રીય પર્યટન કૉમ્પલેક્સ; જાણો વિગત

હાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ITBPના જવાનો એક સાથે એક ડગલું આગળ વધી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે ITBPના જવાનોની તસવીરો સામે આવી હોય. આ અગાઉ આઈટીબીપીના ડઝનબંધ જવાનો બરફથી ઢંકાયેલા વિસ્તારની વચ્ચે અને માઈનસ 25 ડિગ્રી તાપમાનમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. 

ITBP એ દેશની અગ્રણી અર્ધલશ્કરી દળ છે જે નક્સલ વિરોધી કામગીરી સહિતની કામગીરીમાં તૈનાત છે. ITBP જવાનોને ઉત્તરાખંડના સરહદી સ્થાન પર માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારે ઠંડીમાં તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, આ ફોર્સ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ દળના જવાનોને હિમવીર પણ કહેવામાં આવે છે. કારણ કે આ દળો બરફથી ઢંકાયેલી ચોકીઓ પર તૈનાત રહીને દેશની સુરક્ષાનું રક્ષણ કરે છે.  

Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે ‘સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ તૈનાત કરશે.
India’s Oil Purchase Policy રશિયન ઓઈલ મુદ્દે ફિનલેન્ડનું ભારતને સમર્થન વિદેશ મંત્રીએ કહ્યું, ‘ભારત તેની જરૂરિયાત મુજબ નિર્ણય લેવા સ્વતંત્ર’.
IAF An32 Crash in Jorhat આસામના જોરહાટમાં વાયુસેનાનું An32 વિમાન ક્રેશ પાંચ વીર જવાનો શહીદ, કોપાયલટ સુરક્ષિત.
CBI Case Against Nirav Modi નીરવ મોદી માટે રાહત? સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના પુરાવા, કેસ ટ્રાન્સફર થયો.
Exit mobile version