Site icon News Continuous Bureau | Mumbai

સલામ છે જવાનોને! ITBPના જવાનો 15,000 ફૂટની ઊંચાઈએ ભારે બરફ અને થીજી જવાની સ્થિતિમાં લઈ રહ્યા છે તાલીમ, જુઓ વિડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર, 

ભારતીય સેના એવી પરિસ્થિતિઓમાં પોતાની સરહદની સુરક્ષા કરે છે, જેના કારણે દરેક ભારતીય સુરક્ષિત અનુભવે છે. સાથે જ સૈનિકોની હિંમત જોઈને સૌની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. ઉત્તરાખંડના હિમાલય માંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને સૈનિકો પર ગર્વ થશે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો ઉત્તરાખંડ હિમાલયની આસપાસ 15,000 ફૂટ બરફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.  

ITBPના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું, ‘તાલીમ શ્રેષ્ઠ છે. તમામ સંજોગોમાં તાલીમ માટે પ્રતિબદ્ધતા. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના કર્મચારીઓ ઉત્તરાખંડમાં માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારે બરફ અને થીજી જવાની સ્થિતિમાં છે.

અરે વાહ, પર્યટકોને મળશે મુંબઈમાં નવું પર્યટન સ્થળ, આ વિસ્તારમાં બનશે આંતરરાષ્ટ્રીય પર્યટન કૉમ્પલેક્સ; જાણો વિગત

હાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ITBPના જવાનો એક સાથે એક ડગલું આગળ વધી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે ITBPના જવાનોની તસવીરો સામે આવી હોય. આ અગાઉ આઈટીબીપીના ડઝનબંધ જવાનો બરફથી ઢંકાયેલા વિસ્તારની વચ્ચે અને માઈનસ 25 ડિગ્રી તાપમાનમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. 

ITBP એ દેશની અગ્રણી અર્ધલશ્કરી દળ છે જે નક્સલ વિરોધી કામગીરી સહિતની કામગીરીમાં તૈનાત છે. ITBP જવાનોને ઉત્તરાખંડના સરહદી સ્થાન પર માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારે ઠંડીમાં તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, આ ફોર્સ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ દળના જવાનોને હિમવીર પણ કહેવામાં આવે છે. કારણ કે આ દળો બરફથી ઢંકાયેલી ચોકીઓ પર તૈનાત રહીને દેશની સુરક્ષાનું રક્ષણ કરે છે.  

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version