Site icon

સરકારના ધજાગરા ઉડાડનાર સિરમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નિવેદનથી કંપનીએ છેડો ફાડ્યો; કહી આ મોટી વાત….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

દેશમાં રસીકરણ અભિયાન બાબતે સિરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવ દ્વારા અપાયેલા નિવેદનને સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે કોઈ લેવાદેવા નથી. સિરમ ઇન્સ્ટિટ્યૂટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને એક પત્ર આપી ખુલાસો કર્યો છે કે અમારી ભૂમિકા નથી.

હકીકતે સિરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક હેલ્થ પ્લૅટફૉર્મ તરફથી આયોજિત વર્ચ્યુઅલ સેમિનારમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન-WHO)ની ગાઇડલાઇનને અને વેક્સિનના પુરવઠાનું આકલન કર્યા વગર જ વેક્સિનેશનનો વિસ્તાર વધાર્યો છે. સરકારે તૈયારી વગર જ એકસાથે બે વયજૂથનું વેક્સિનેશન શરૂ કરી દીધું છે. સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપેલી ગાઇડલાઇન મુજબ ચાલીને જ વેક્સિનેશનમાં લોકોને પ્રાથમિકતા આપવી જોઈતી હતી.આ નિવેદન સાથે કંપની સહમત નથી એવો ખુલાસો કંપનીએ કર્યો હતો.

સિરમ ઇન્સ્ટિટ્યૂટના નિયમનકારી વિભાગના સંચાલક પ્રકાશકુમાર સિંહે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સંસ્થા જાધવના નિવેદન સાથે સહમત નથી એવો મત તેમણે આદાર પુનાવાલા વતી વ્યક્ત કર્યો હતો. પત્રમાં લખાયું હતું કે અમારા પ્રવક્તા પૂનાવાલા છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ કોરોના સંકટ દરમિયાન સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version