Site icon News Continuous Bureau | Mumbai

West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર

શહેરના રસ્તાઓ પર ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખાનગી વીજળી કંપનીની આકરી ટીકા કરી.

West Bengal કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ

West Bengal કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ

News Continuous Bureau | Mumbai
West Bengal પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવાર મોડી રાતથી શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે મંગળવારે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ભારતના હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગમાં બનેલું લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા, જેનાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. બીજી તરફ, અધિકારીઓએ જણાવ્યું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે, જે તમામ વીજળીના કરંટની ઝપેટમાં આવ્યા હતા.

વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત મૃત્યુ

અધિકારીઓએ જણાવ્યું કે વરસાદ દરમિયાન વીજળીના કરંટ લાગવાથી સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ મૃતકોની ઓળખ થઈ શકી છે, જેમાં બેનિયાકપુરના ફિરોઝ અલી ખાન (50), નેતાજી નગરના પ્રણતોષ કુંડુ (62) અને ઇકબાલપુલના મુમતાઝ બીબી (70) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગરિયાહાટમાં એક અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેમની ઓળખ થઈ શકી નથી. અન્ય ત્રણ મૃતકોની ઓળખ બાકી છે. કોલકાતા પોલીસે જણાવ્યું કે, તેમાંથી એક વ્યક્તિ સવારે સવા પાંચ વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને હુસૈન શાહ રોડ પર વીજળીના કરંટ ના ઝપેટમાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રીએ વીજળી કંપનીની ટીકા કરી

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ભારે વરસાદને અભૂતપૂર્વ ગણાવ્યો અને ફરાક્કા બેરેજના ખરાબ ડ્રેજિંગ અને ખાનગી વીજળી કંપની CESC ની ખામીઓની આકરી ટીકા કરી. તેમણે કહ્યું, “મેં આવો વરસાદ પહેલાં ક્યારેય જોયો નથી. મને આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે ખૂબ દુઃખ છે. મેં સાંભળ્યું છે કે ખુલ્લા વાયરોથી કરંટ લાગવાથી 7-8 લોકોના મોત થયા છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. CESC એ તેમના પરિવારોને નોકરી આપવી જોઈએ.” તેમણે લોકોને સુરક્ષા માટે ઘરની અંદર રહેવાની અપીલ પણ કરી.

આ સમાચાર પણ વાંચો :  Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ

રેલવે અને મેટ્રો સેવાઓ પણ પ્રભાવિત

ભારે વરસાદને કારણે ઘણી સડકો પાણીમાં ડૂબી ગઈ હતી અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું. કોલકાતામાં સૌથી વધુ 332 મીમી વરસાદ દક્ષિણ કોલકાતાના ગરિયા કમદહરી વિસ્તારમાં નોંધાયો હતો. આ ભારે વરસાદને કારણે રેલવે પાટાઓ પર પાણી ભરાયા અને ટ્રેન સેવાઓ અવરોધાઈ હતી. મેટ્રો સેવાઓમાં પણ મુશ્કેલીઓ આવી હતી. પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહીદ ખુદીરામ અને મેદાન સ્ટેશનોથી મેટ્રો સેવાઓ રોકી દેવામાં આવી હતી.

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version