Site icon

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી બરાબરના ફસાયા, ગયું લોકસભાનું સભ્યપદ.. જાણો કોંગ્રેસ નેતા પાસે હવે શું વિકલ્પ છે

Rahul Gandhi On BJP: 'Impossible for BJP to win because...' Rahul Gandhi from INDIA alliance stage

Rahul Gandhi On BJP: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યો દાવો, અમે 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, ભાજપ માટે હવે.... ચીનનો પણ ઉલ્લેખ કર્યો

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. તેમનું લોકસભાનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમને (રાહુલ ગાંધી)ને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

હવે રાહુલ સામે કયા વિકલ્પો છે?

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે રાહુલ પાસે અત્યારે માત્ર બે જ વિકલ્પ છે. તેમણે કહ્યું કે જો તેઓ કાયદાકીય રીતે આગળ નહીં વધે તો આગામી દિવસોમાં રાહુલ ગાંધીને જેલમાં જવું પડી શકે છે.

1. સજા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં જવું પડશેઃ રાહુલ ગાંધીને સજા સંભળાવનારી સુરત કોર્ટે તેમને એક મહિનાનો સમય આપ્યો છે. આ એક મહિનાની અંદર રાહુલે કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અરજી કરવી પડશે. આ પછી રાહુલ ગાંધીનું ભવિષ્ય કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.

2. સંસદનું સભ્યપદ બચાવવા હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છેઃ સુરત કોર્ટના નિર્ણય બાદ નિયમ મુજબ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તે પોતાનું સભ્યપદ પાછું મેળવવા માંગે છે, તો તેણે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડશે. જોકે, રાહુલને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી આ મુદ્દે રાહત મળે તેવી આશા ઓછી છે. કારણ કે રાહુલ દોષિત સાબિત થયા છે. આવી સ્થિતિમાં, જો રાહુલને માનહાનિના કેસમાં સજામાંથી રાહત મળે છે, તો જ તેઓ તેમનું સભ્યપદ જાળવી શકશે. જોકે, જો રાહુલને ત્યાંથી પણ ઝટકો લાગશે તો તેઓ આગામી છ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત થયા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. પક્ષે કહ્યું છે કે સત્ય બહાર આવશે અને સુરત કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્ણય ઉચ્ચ અદાલત દ્વારા બદલવામાં આવશે. પાર્ટીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી મજબૂત વાપસી કરશે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં ભર ઉનાળામાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું..

આ બાબતે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ડિફેમેશન કેસએ ફોજદારી ગુનો નથી. અમે કાયદેસરની લડાઈ લડવા માટે સજ્જ છીએ. સત્યની સાથે રહેવાનાં કારણે રાહુલ ગાંધીને ફસાવવાનો પ્રયાસ છે. સાચું બોલવા વાળાને સદનમાં અંદર રાખવા માંગતી નથી સરકાર.

‘કાનૂની અને રાજકીય રીતે લડીશું’

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે આ લડાઈ કાયદાકીય અને રાજકીય બંને રીતે લડીશું. અમે ગભરાઈશું નહીં કે ચૂપ થઈશું નહીં. પીએમને સંડોવતા અદાણી મહામેગા કૌભાંડમાં JPC બનાવવાને બદલે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તે જ સમયે, બીજેપી નેતા પ્રહલાદ જોશીએ એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે અમારે આ મામલે કંઈ કરવાનું નથી. જ્યારે પણ કોર્ટમાંથી બે વર્ષની સજા થાય છે, ત્યારે સભ્યપદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમેઠી અને વાયનાડથી સંસદસભ્ય

રાહુલ ગાંધી યુપીના અમેઠી અને કેરળના વાયનાડમાંથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. વર્ષ 2004માં પહેલીવાર રાહુલે કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. આ પછી તેઓ 2009 અને 2014માં પણ અમેઠીથી જીત્યા હતા. જો કે, રાહુલ ગાંધી કેરળના અમેઠી અને વાયનાડથી છેલ્લી લોકસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં તેઓ અમેઠીમાં હારી ગયા હતા, જ્યારે વાયનાડથી તેઓ ભારે માર્જિનથી ચૂંટણી જીત્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીમાં વધુ એક ઝટકો. સ્કૂલ બસના ભાડામાં 15 થી 20 ટકાનો વધારો, 1 એપ્રિલથી લાગુ

Nipah Virus: બંગાળ પર નિપાહનું સંકટ! ૨૫ વર્ષ જૂનો જીવલેણ વાયરસ પાછો ફર્યો, કેન્દ્રએ રાજ્યોને આપ્યું એલર્ટ; જાણો કેટલો ઘાતક છે આ વાયરસ.
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Exit mobile version