Site icon

દેશમાં આ મહિનાથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં પીકઅપ આવી શકે છે – IIT મદ્રાસની ભવિષ્યવાણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર  

દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.  દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા સંક્રમણે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. નવા કેસમાં જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાની ઇ નૉટ વેલ્યૂ આ અઠવાડિયે ૪ થઈ છે જે સંક્રમણમાં અચાનક ઉછાળો દર્શાવે છે. IIT મદ્રાસના અભ્યાસમાં ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે તે મુજબ દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે જેનું પિક ૧થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. ગયા અઠવાડિયે RO વેલ્યૂ ૨.૯ હતો તે વધીને ૪ થઈ ગયો છે અને સંક્રમણની ગંભીરતા દર્શાવે છે તેમ IIT મદ્રાસના મેથ્સ વિભાગના પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું હતું. 

દેશના જવાનોએ ભારે હિમવર્ષા વચ્ચે કર્યો જબરદસ્ત ડાન્સ – જુઓ જવાન નો ડાન્સ કરતો અનોખો વીડિયો

ઇ વેલ્યૂમાં કોરોનાનાં ટ્રાન્સમિશનની શક્યતા, કોન્ટેક્ટ રેટ તેમજ સંક્રમણ થવાના સમય વચ્ચે અંતરને ધ્યાનમાં લેવામાં આવે છે. સરકાર દ્વારા રચાયેલી કોવિડ સુપરમોડેલ કમિટીનાં વડા એમ વિદ્યાસાગરે કહ્યું છે કે ઓમિક્રોનના કેસની સંખ્યા વધે તો તેનાંથી ગભરાવાની જરૂર નથી. લોકોની રોગપ્રતિકારક શક્તિને ઓમિક્રોન ઘટાડી રહ્યો છે તેથી તેને વધતો રોકવા મુશ્કેલ છે. તેની અસર અન્ય વેરિઅન્ટ જેટલી ગંભીર નથી. તીવ્રતા ઓછી છે. સરકારે ઓમિક્રોનના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રતિબંધો લાદવાની જરૂર નથી કે સ્કૂલો, ઓફિસો બંધ કરવાની કે લૉકડાઉન લાદવાની જરૂર નથી આનાથી તો લોકોમાં વધુ ગભરાટ ફેલાશે.

 

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version