Site icon News Continuous Bureau | Mumbai

Narendra Modi: જાણો કેમ આજનો દિવસ નરેન્દ્ર મોદી માટે છે ખાસ, PM એ 25 વર્ષ જૂની તસવીર શેર કરી કહી આવી વાત

નરેન્દ્ર મોદીએ આજે જ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા હતા. મંગળવારે X પર પોસ્ટ કરીને તેમણે પોતાની પ્રથમ શપથ લેવાની યાદ તાજી કરી

PM Modi Birthday જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

PM Modi Birthday જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

News Continuous Bureau | Mumbai
Narendra Modi નરેન્દ્ર મોદીએ આજે જ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા હતા. મંગળવારે X પર પોસ્ટ કરીને તેમણે પોતાની પ્રથમ શપથ લેવાની યાદ તાજી કરી. પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓના નિરંતર આશીર્વાદ સાથે તેઓ સરકારના પ્રમુખ તરીકે પોતાના 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે ભારતના લોકો પ્રત્યે પોતાની ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી. વડાપ્રધાને કહ્યું, ‘આ તમામ વર્ષોમાં સતત પ્રયાસ રહ્યો છે કે હું મારા દેશવાસીઓના જીવનને બહેતર બનાવું. આ મહાન રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપું, જેણે આપણા સૌનું પાલન-પોષણ કર્યું છે.’

ભારતની પરિવર્તનકારી સિદ્ધિઓ

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષોમાં ભારતે ઘણી પરિવર્તનકારી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે ‘અમે, ભારતના લોકોએ’ એકજૂટ થઈને નારી શક્તિ, યુવા શક્તિ અને મહેનતુ અન્નદાતાઓને સશક્ત કર્યા છે. 25 કરોડથી વધુ લોકોને ગરીબીના ખપ્પરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં એક ઉજ્જવળ સ્થાન તરીકે જોવામાં આવી રહ્યું છે. દેશમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા યોજનાઓમાંની એક હાજર છે. તેમણે કહ્યું, ‘ખેડૂતોએ ઇનોવેશનને અપનાવ્યું છે, જેનાથી ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે અને ‘ગર્વથી કહો, આ સ્વદેશી છે’ ના નારામાં આત્મનિર્ભર ભારતની ભાવના ઝળકે છે.’

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો

દેશના લોકોનો આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાને ભારતના લોકોનો તેમના નિરંતર વિશ્વાસ અને સ્નેહ માટે ફરી એકવાર આભાર વ્યક્ત કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું, ‘આપણા પ્રિય રાષ્ટ્રની સેવા કરવી સર્વોચ્ચ સન્માન છે. આ એક એવી ફરજ છે, જે મને કૃતજ્ઞતા અને ઉદ્દેશ્યથી ભરી દે છે.’ પીએમ મોદીએ સંવિધાનના મૂલ્યોને પોતાની નિરંતર પ્રેરણા ગણાવી. તેમણે વચન આપ્યું કે તેઓ વિકસિત ભારતના સામૂહિક સપનાને સાકાર કરવા માટે વધુ કઠિન પરિશ્રમ કરશે.

Karnataka New CM DK Shivakumar। કર્ણાટકમાં સત્તાનું સુકાન હવે ડીકે શિવકુમારના હાથમાં! રાજ્યપાલે આપી લીલી ઝંડી
Hamirpur Bridge Collapse। હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ તૂટ્યો, ૬ મજૂરોના મોતથી હડકંપ
NEET UG Re Exam 2026| નીટ પરીક્ષાના ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે લીધો અભૂતપૂર્વ નિર્ણય
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version