Site icon News Continuous Bureau | Mumbai

Chandranath Rath Biography। એરફોર્સથી રાજકારણ સુધીની સફર! શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ચંદ્રનાથ રથ કોણ હતા? બંગાળમાં હત્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ

Chandranath Rath Biography। વાયુસેનામાં દેશસેવા કર્યા બાદ રાજકારણમાં ઝંપલાવ્યું; ભવાનીપુર ચૂંટણીમાં લોજિસ્ટિક્સનું સંચાલન સંભાળનાર ભાજપના ઉભરતા ચહેરાની ગોળી મારીને કરાઈ હત્યા.

Chandranath Rath Biography। એરફોર્સથી રાજકારણ સુધીની સફર! શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ચંદ્રનાથ રથ કોણ હતા? બંગાળમાં હત્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ

Chandranath Rath Biography। એરફોર્સથી રાજકારણ સુધીની સફર! શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ચંદ્રનાથ રથ કોણ હતા? બંગાળમાં હત્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Chandranath Rath Biography। પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે કરવામાં આવેલી નિર્મમ હત્યાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે. 41 વર્ષીય ચંદ્રનાથ રથ બંગાળના સક્રિય રાજકારણનો કોઈ મોટો જાહેર ચહેરો નહોતા, પરંતુ ભાજપ સંગઠનમાં તેમનું સ્થાન ખૂબ જ મહત્વનું હતું. મૂળ પૂર્વ મેદિનીપુરના ચંડીપુરના રહેવાસી ચંદ્રનાથ રથનું જીવન ખૂબ જ શિસ્તબદ્ધ અને સાહસિક રહ્યું હતું.

વાયુસેનાથી રાજકારણ સુધીની સફર

રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થી રહેલા ચંદ્રનાથ સ્વભાવે ખૂબ જ મૃદુભાષી અને શિસ્તબદ્ધ હતા. એક સમયે આધ્યાત્મ તરફ ઝુકાવ ધરાવતા ચંદ્રનાથે ભારતીય વાયુસેના (IAF) માં જોડાઈને લગભગ બે દાયકા સુધી દેશની સેવા કરી હતી. ત્યારબાદ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી અને થોડો સમય કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. વર્ષ 2020માં જ્યારે શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા, ત્યારે ચંદ્રનાથ અને તેમનો પરિવાર પણ ભાજપ સાથે જોડાઈ ગયો હતો. તેમની માતા હસી રથ પૂર્વ મેદિનીપુરમાં પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે.

શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’

ચંદ્રનાથ રથ શુભેન્દુ અધિકારીના એટલા નજીક હતા કે તેઓ તેમના પર આંખ મીંચીને વિશ્વાસ કરતા હતા. તાજેતરની ચૂંટણીઓમાં ભવાનીપુર લોકસભા બેઠક પર લોજિસ્ટિક્સ અને કાર્યકર્તાઓ વચ્ચે તાલમેલ બેસાડવાની મુખ્ય જવાબદારી ચંદ્રનાથના ખભા પર હતી. તેઓ માત્ર એક PA નહોતા, પરંતુ ભાજપમાં એક ઉભરતા સંગઠનાત્મક ચહેરા તરીકે જોવામાં આવતા હતા. રાજકીય વર્તુળોમાં તેમને શુભેન્દુના ‘રાઈટ હેન્ડ’ તરીકે ઓળખવામાં આવતા હતા.

ભવાનીપુરની તે ઘટના અને રાજકીય કાવતરું

લોકો આજે પણ 30 એપ્રિલની તે ઘટનાને યાદ કરી રહ્યા છે, જ્યારે ભવાનીપુરના સ્ટ્રોંગરૂમમાં મમતા બેનર્જી પહોંચ્યા હતા અને શુભેન્દુ ત્યાં હાજર નહોતા. તે સમયે ચંદ્રનાથ રથે જ ભાજપ સમર્થકોનું નેતૃત્વ કર્યું હતું અને સ્ટ્રોંગરૂમ પાસે TMC ની ગાડી હોવાને વિરોધ કરીને પોલીસ સાથે ઉગ્ર દલીલ કરી હતી. ભાજપનો દાવો છે કે તેમની આ સક્રિયતાને કારણે જ તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. મધ્યમગ્રામમાં જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમની કાર પર 16 રાઉન્ડ ગોળીબાર કરીને આ આશાસ્પદ નેતાની જીવ લીધો.

👉 આ સમાચાર વાચો:
Bengal CM Race| શુભેન્દુ અધિકારી કે કોઈ નવો ચહેરો? બંગાળમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપની કવાયત તેજ, CM પદના દાવેદારો વિશે જાણો લેટેસ્ટ અપડેટ

Operation Sindoor। ‘ભારત માફ નથી કરતું!’ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર રિલીઝ થયો ખાસ વીડિયો, દુશ્મનો માટે પણ છે ચેતવણી!
Tamil Nadu Government Formation 2026। વિજયના સપના પર પાણી? DMK અને AIADMK મળીને બનાવશે સરકાર? જાણો લેટેસ્ટ અપડેટ
Chandranath Rath Murder Eyewitness| ‘ચારે બાજુ ગોળીઓનો અવાજ હતો…’ શુભેન્દુ અધિકારીના PAની હત્યાના સાક્ષીએ ખોલ્યા રહસ્યો, હુમલાખોરોનું શું હતું આયોજન?
Suvendu Adhikari PA Murder। ઓવરટેક કરીને આડેધડ ફાયરિંગ! શું શુભેન્દુ અધિકારીના PAની હત્યા પાછળ મોટું કાવતરું છે? જાણો ઘટનાની ઇનસાઇડ ડિટેલ્સ
Exit mobile version