Site icon News Continuous Bureau | Mumbai

વિદેશમાં વસતા ભારતીય માટે મોટા સમાચાર: શું હવે NRI ને મત આપવાનો અધિકાર મળશે? ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 ડિસેમ્બર 2020 

ચૂંટણી પંચ (EC) એ કેન્દ્ર સરકારને એનઆરઆઈ ને પોસ્ટલ બેલેટ (પોસ્ટલ બેલેટ) દ્વારા મતદાન કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત મોકલી છે. આ માટે  ચૂંટણી આચાર નિયમો 1961 ના સુધારા દ્વારા લાગુ કરી શકાય છે. અને આને લાગુ કરવા માટે, સંસદની પરવાનગીની પણ જરૂર નહીં રહે. 

Join Our WhatsApp Channel

અહેવાલો અનુસાર, ચૂંટણી પંચે ગયા અઠવાડિયે, કાયદા મંત્રાલયને અસમ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી દરખાસ્ત મોકલી છે. સાથે જ એનઆરઆઈ મતદારો માટે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ કરેલી પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ઇટીપીબીએસ) ને વધારવા કહ્યું છે. 

અહેવાલો અનુસાર, અંદાજે એક કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. તેમાંથી આશરે 60 લાખ લોકો મતદાન કરી શકે છે. આ પગલા માટે સંસદની પરવાનગીની જરૂર રહેશે નહીં. ચૂંટણી પંચના પ્રસ્તાવમાં જણાવાયું છે કે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઇચ્છુક કોઈપણ એનઆરઆઈએ ચૂંટણીની સૂચનાના ઓછામાં ઓછા પાંચ દિવસ પછી રીટર્નિંગ ઓફિસર (આરઓ) ને જાણ કરવી જ પડશે.. 

મળતી માહિતી મુજબ, જો સરકાર ચૂંટણી પંચના આ પ્રસ્તાવને મંજૂરી આપે તો એનઆરઆઈ આગામી વર્ષે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત આપી શકે છે. જો કે, વર્તમાન પ્રક્રિયામાં, એનઆરઆઈને ભારતમાં હાજર રહીને મતદાન મથકો પર મતદાન કરવાની સુવિધા છે. પરંતુ ચૂંટણી પંચ ના આ પ્રસ્તાવ ને મંજૂરી મળી જાય તો એનઆરઆઈ ત્યાં બેઠાં પોસ્ટ દ્વારા પોતાનો મત આપી શકશે..

NEET Paper Leak Row Sparks Uproar in Parliament દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ વિરોધ વધુ આક્રમક, વિપક્ષે માંગી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
Govt Ready For Talks With CJP કૉકરોચ જનતા પાર્ટીના અલ્ટીમેટમ સામે ઝૂકી કેન્દ્ર સરકાર! કહ્યું ‘જ્યારે ઈચ્છશે ત્યારે વાતચીત માટે તૈયાર’
Anantnag Terror Attack ઘાટીમાં આતંકી હુમલો, અનંતનાગમાં સુરક્ષા દળો પર ફાયરિંગ, જવાન વીરગતિ પામ્યા..
Manoj Jarange Reaches Jantar Mantar મરાઠા આંદોલનનો મોટો ચહેરો મનોજ જરાંગે પહોંચ્યા જંતરમંતર, કૉકરોચ જનતા પાર્ટીને આપ્યું સમર્થન
Exit mobile version