Site icon News Continuous Bureau | Mumbai

Priyanka Gandhi: “પ્રિયંકા શ્રેષ્ઠ સાબિત થશે…”: પત્નીના PM પદ મુદ્દે રોબર્ટ વાડ્રાનું મોટું નિવેદન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે શરૂ થયું શાબ્દિક યુદ્ધ.

“પ્રિયંકાનું ભવિષ્ય ઉજ્જવળ છે, તે સમયની વાત છે” - રોબર્ટ વાડ્રા; ઈમરાન મસૂદે પ્રિયંકાની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરી, ભાજપે રાહુલને કર્યા ટ્રોલ.

Priyanka Gandhi “પ્રિયંકા શ્રેષ્ઠ સાબિત થશે...” પત્નીના PM પદ મુદ્દે રો

Priyanka Gandhi “પ્રિયંકા શ્રેષ્ઠ સાબિત થશે...” પત્નીના PM પદ મુદ્દે રો

News Continuous Bureau | Mumbai

Priyanka Gandhi  કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદના એક નિવેદને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. મસૂદે માગ કરી હતી કે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવે. હવે આ નિવેદનને પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ પણ સમર્થન આપ્યું છે. વાડ્રાએ પત્ની પ્રિયંકાના વખાણ કરતા કહ્યું કે, લોકો તેમને દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે અને તે માત્ર સમયની વાત છે.રોબર્ટ વાડ્રાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રિયંકા ગાંધીમાં નેતૃત્વની અદભૂત ક્ષમતા છે અને તેઓ જમીની સ્તરના મુદ્દાઓને સારી રીતે સમજે છે.

Join Our WhatsApp Channel

રોબર્ટ વાડ્રાએ પ્રિયંકા ગાંધી વિશે શું કહ્યું?

એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું, “પ્રિયંકા દેશમાં કેવા પ્રકારના પરિવર્તનની જરૂર છે તે સારી રીતે જાણે છે. તે માત્ર પોતાની વાત નથી રાખતી, પણ લોકોની વાત સાંભળવામાં પણ વિશ્વાસ રાખે છે. તેમણે પોતાની દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધી પાસેથી ઘણું શીખ્યું છે. લોકો તેમને પસંદ કરે છે કારણ કે તેઓ દિલથી બોલે છે.”

ઈમરાન મસૂદનું ‘ઈન્દિરા ગાંધી’ કનેક્શન

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે પ્રિયંકા ગાંધી તેમની દાદી ઈન્દિરા ગાંધી જેવા જ મજબૂત વડાપ્રધાન સાબિત થઈ શકે છે. મસૂદે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સાથેની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જો પ્રિયંકા વડાપ્રધાન હોત તો આવા મામલામાં અત્યંત કડક અને મજબૂત નિર્ણય લીધો હોત.

આ સમાચાર પણ વાંચો : Vaishno Devi New Rules 2026: નવા વર્ષે વૈષ્ણોદેવી જવાનો પ્લાન છે? જાણી લો નવા નિયમો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકે છે તમારી યાત્રા

રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર

બીજી તરફ, રાહુલ ગાંધીના બર્લિન (જર્મની) પ્રવાસ દરમિયાન આપવામાં આવેલા નિવેદનો પર ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતની છબી ખરાબ કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે હવે જનતાનો રાહુલ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, તેથી જ હવે તેમના પોતાના પરિવાર અને ગઠબંધનના સાથીઓ પ્રિયંકા ગાંધીના નામ પર ભાર મૂકી રહ્યા છે.

 

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version