Site icon News Continuous Bureau | Mumbai

Eknath Shinde: મુંબઈના મેયર કોણ? મહાયુતિમાં ખટપટની વાતો વચ્ચે CM એકનાથ શિંદેએ જવાબ આપીને બધાને ચોંકાવી દીધા!

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ મેયર ચૂંટણીને લઈને સ્પષ્ટ કર્યું કે મેયર મહાયુતિ ગઠબંધનમાંથી જ હશે, પરંતુ તેમણે શિવસેનાનું પદ જાળવી રાખવાનો સીધો દાવો કર્યો નથી. આ નિર્ણય BMC ચૂંટણી પહેલાં ભાજપના 'હિન્દુત્વ' અને ઠાકરે પરિવારના 'મરાઠી પ્રથમ' સિદ્ધાંત વચ્ચેનો સંઘર્ષ વધારે તેવી શક્યતા છે

Eknath Shinde મુંબઈના મેયર કોણ મહાયુતિમાં ખટપટની વાતો વચ્ચે CM એકનાથ શિંદેએ

Eknath Shinde મુંબઈના મેયર કોણ મહાયુતિમાં ખટપટની વાતો વચ્ચે CM એકનાથ શિંદેએ

News Continuous Bureau | Mumbai
Eknath Shinde મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મુંબઈ મેયર ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયા છે. મુંબઈના મેયરનું પદ ઐતિહાસિક રીતે શિવસેનાની રાજકીય ઓળખનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં વિભાજિત શિવસેનાએ ૨૫ વર્ષ સુધી દબદબો જાળવી રાખ્યો હતો. BMC ચૂંટણીઓ પહેલાં, ઠાકરે બંધુઓના સંભવિત રાજકીય પુનર્મિલને ‘હિન્દુત્વ વિ. મરાઠી પ્રાથમિકતા’ની લડાઈને વેગ આપ્યો છે.

એકનાથ શિંદેનું નિવેદન

મીડિયા દ્વારા આયોજિત એક સંમેલન દરમિયાન જ્યારે શિંદેને પૂછવામાં આવ્યું કે શું શિવસેના મેયરનું પદ જાળવી રાખશે, ત્યારે તેમણે સ્પષ્ટ દાવો ન કરતાં માત્ર એટલું જ કહ્યું કે,”મુંબઈના મેયર હાયુતિમાંથી જ હશે અને તે પણ બે વાર.”મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે મીરા-ભાઈંદર અને થાણેમાં શિંદેની શિવસેનાને મેયરનું પદ સંભાળવા દેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ મુંબઈના મામલે કોઈ સમજૂતી નહીં થાય. મુંબઈ મેયર ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ‘હિન્દુત્વ’ના એજન્ડા અને ઠાકરે પરિવારના મરાઠી પ્રથમ ના સિદ્ધાંત વચ્ચે થવાની સંભાવના છે. શિંદેને શહેરમાં શિવસેનાના પરંપરાગત વર્ચસ્વને જાળવવાને બદલે ભાજપના સહાયકની ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Gold and silver prices: ગોલ્ડ-સિલ્વર પ્રાઇસ ચાંદીનો ભાવ આસમાને, સોનામાં પણ તેજી; આજે જ્વેલરી ખરીદતા પહેલા જાણી લો આ ભાવ!

શિંદેનો એજન્ડા અને ગઠબંધન

ઠાકરે પરિવારના પુનર્મિલન વિશે પૂછવામાં આવતા શિંદેએ કહ્યું કે બધા પક્ષોને ગઠબંધન બનાવવાનો અધિકાર છે. “અમારો એજન્ડા સ્પષ્ટ છે – વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ.”તેમણે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાનું અનુસરણ કરવા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઠબંધનને આગળ વધારવાની પોતાની ઈચ્છાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ભલે ભાજપને ‘આત્મનિર્ભર’ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ ગઠબંધન ૨૦૨૯ સુધી જાળવી રાખવામાં આવશે.

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Social Media Design Changes High Court Notice શું હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ની ડિઝાઈન બદલાશે? વ્યસન વધારતા ફીચર્સ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ!
Rahul Gandhi PM Modi UPI Tax Demand રાહુલ ગાંધી આક્રમક સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ કેમ? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો!
India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
Exit mobile version