Site icon News Continuous Bureau | Mumbai

Women’s Reservation Act 2023, અડધી રાત્રે કેન્દ્ર સરકારનું જાહેરનામું મહિલા અનામત કાયદો અમલમાં આવ્યો, શું ૨૦૨૯ની ચૂંટણીમાં જોવા મળશે તેની અસર?

Women's Reservation Act 2023,મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત મળશે; કાયદા મંત્રાલયે 16 એપ્રિલ 2026 થી અમલીકરણની કરી જાહેરાત.

Women's Reservation Act 2023, અડધી રાત્રે કેન્દ્ર સરકારનું જાહેરનામું મહિલા અનામત કાયદો અમલમાં આવ્યો, શું ૨૦૨૯ની ચૂંટણીમાં જોવા મળશે તેની અસર?

Women's Reservation Act 2023, અડધી રાત્રે કેન્દ્ર સરકારનું જાહેરનામું મહિલા અનામત કાયદો અમલમાં આવ્યો, શું ૨૦૨૯ની ચૂંટણીમાં જોવા મળશે તેની અસર?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Women’s Reservation Act 2023, દેશની સંસદમાં જ્યારે મહિલા અનામત અને સીમાંકન બિલ પર ગહન ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે અડધી રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2023 માં પસાર થયેલો મહિલા અનામત કાયદો હવે સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે આ અંગેનું જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે બંધારણના 106માં સુધારાની જોગવાઈઓ હવે પ્રભાવી ગણાશે.

કાયદો લાગુ થયો છતાં તાત્કાલિક લાભ નહીં મળે

જોકે, કાયદો અમલમાં આવવા છતાં વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો તાત્કાલિક ફાયદો મળશે નહીં. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અનામત પ્રક્રિયા આગામી વસ્તી ગણતરી પછી હાથ ધરવામાં આવનાર સીમાંકન બાદ જ અમલમાં આવશે. ટેકનિકલ કારણોસર આ નોટિફિકેશન અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેની પૂર્ણ અસર વર્ષ 2029 ની ચૂંટણીઓથી જોવા મળે તેવી શક્યતા છે.

‘નારી શક્તિ વંદન અધિનિયમ’ અને રાજકીય નિવેદનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બિલને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ તરીકે ઓળખાવ્યું હતું. સંસદમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે વિપક્ષને અપીલ કરી હતી કે આ મુદ્દાને રાજકીય ત્રાજવે ન તોળવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશની મહિલાઓ આપણો નિર્ણય જ નહીં, પરંતુ આપણી દાનત પણ જોઈ રહી છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર આનો કોઈ શ્રેય લેવા માંગતી નથી અને તમામ પક્ષોએ એકસાથે મળીને મહિલાઓના અધિકાર માટે કામ કરવું જોઈએ.

વિપક્ષના આક્ષેપો અને સીમાંકનનો વિવાદ

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ આ બિલના અમલીકરણના સમય અને પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સીમાંકન અને વસ્તી ગણતરીની શરતોને કારણે મહિલાઓને હક મળવામાં વિલંબ થઈ રહ્યો છે, જેમાં રાજનીતિની ગંધ આવે છે. વિપક્ષી નેતાઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે 2011 ની વસ્તી ગણતરીને આધાર બનાવવાથી દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થઈ શકે છે. જોકે, ગૃહમંત્રી અમિત શાહે આશંકાઓને નકારી કાઢી છે અને મહિલાઓને 33 ટકા અનામત આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar 2 Rakesh Bedi , ‘બચ્ચા હૈ તૂ મેરા…’ ડાયલોગનો અર્થ લોકો ખોટો સમજ્યા! રાકેશ બેદીએ ‘ધુરંધર 2’ ના વાયરલ સીન પાછળનું જણાવ્યું અસલી રહસ્ય

Historic Bungalow Sold Near Jalsa મુંબઈના પોશ વિસ્તારોમાં પ્રોપર્ટીના વધતા ભાવ ‘જલસા’ પાસેનો ઐતિહાસિક બંગલો Rs 135 કરોડમાં સોદો થતા ચર્ચા તેજ…
US Strike on Chabahar Infrastructure અમેરિકાના ત્રણ પ્રહાર, ધરાશાયી થયો ચાબહારનો આઈકોનિક ટાવર, ભારતના રોકાણ પર સંકટ!
GilgitBaltistan as 5th Province of Pakistan ગિલગિટબાલ્ટિસ્તાનને પાંચમું પ્રાંત બનાવવાની તૈયારીમાં શાહબાઝમુનીર, પાક એસેમ્બલીમાં પ્રસ્તાવ પસાર
Iran’s Attack on Kuwait Desalination Plant શું આ મધ્ય પૂર્વમાં નવી જંગની શરૂઆત છે? કુવૈતના લાઈફલાઈન સમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાથી આખું વિશ્વ ચિંતિત.
Exit mobile version