Site icon News Continuous Bureau | Mumbai

Arjun Tendulkar:શું મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન સાથે અન્યાય કર્યો? લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થયા બાદ તેંડુલકરે તોડ્યું મૌન.

Arjun Tendulkar:5 વર્ષમાં માત્ર 5 મેચ રમવાની તક મળી; સચિન તેંડુલકરના પુત્રએ મુંબઈ ઈન્ડિયન્સ સાથેનો છેડો ફાડ્યા બાદ વ્યક્ત કરી પોતાની વેદના.

Arjun Tendulkar breaks silence on leaving Mumbai Indians: "Nobody likes to sit on the bench"; Opens up about his trade to Lucknow Super Giants.

Arjun Tendulkar breaks silence on leaving Mumbai Indians: "Nobody likes to sit on the bench"; Opens up about his trade to Lucknow Super Giants.

News Continuous Bureau | Mumbai
Arjun Tendulkar: ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર છેલ્લા કેટલાક દિવસોથી આઈપીએલ માં મુંબઈ ઈન્ડિયન્સ છોડવાને લઈને ચર્ચામાં છે. લાંબા સમય સુધી મુંબઈની ટીમનો ભાગ રહ્યા હોવા છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક ન મળતા અનેક સવાલો ઉઠી રહ્યા હતા. હવે અર્જુને પોતે આ મામલે મૌન તોડ્યું છે અને મુંબઈ ઈન્ડિયન્સ છોડવા પાછળનું અસલી કારણ સ્પષ્ટ કર્યું છે.

પાંચ વર્ષમાં માત્ર પાંચ મેચની મળી તક

અર્જુન તેંડુલકર 2021 માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થયો હતો અને 2025 સુધી તે આ ટીમનો ભાગ રહ્યો. જોકે, આટલા લાંબા સમયગાળામાં તેને માત્ર 5 મેચ રમવાની તક મળી, જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી. સ્વિંગ બોલિંગમાં પોતાની ક્ષમતા બતાવવા છતાં તેને સતત ટીમમાં સ્થાન મળ્યું નહોતું. અર્જુને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “કોઈપણ ખેલાડીને મેદાનની બહાર બેન્ચ પર બેસી રહેવું ગમતું નથી. આપણે મહેનત કરતા રહેવી જોઈએ જેથી જ્યારે તક મળે ત્યારે તેનું સોનું કરી શકાય.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Siddhivinayak Temple Scam:બાપ્પાના દરબારમાં ભ્રષ્ટાચાર! સિદ્ધિવિનાયક મંદિરમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, બે ટોચના અધિકારીઓને ફટકારાઈ નોટિસ.

લખનૌ સુપર જાયન્ટ્સમાં ₹30 લાખમાં ટ્રેડ

IPL 2026 ની સીઝન શરૂ થાય તે પહેલા જ અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સમાંથી લખનૌ સુપર જાયન્ટ્સ માં ₹30 લાખની કિંમતે ટ્રેડ કરવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યા બાદ હવે તે નવી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. અર્જુન તેંડુલકરે ટીમ છોડતા સચિનના ચાહકોને આશ્ચર્ય થયું હતું, પરંતુ સતત બેન્ચ પર બેસી રહેવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાય છે.

પિતાના માર્ગે અર્જુનનો સંઘર્ષ જારી

અર્જુન તેના પિતા સચિન તેંડુલકરના પગલે ચાલીને ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવા સંઘર્ષ કરી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સમાં પિતાની છત્રછાયા હોવા છતાં અર્જુનને યોગ્ય એક્સપોઝર નહોતું મળી રહ્યું. હવે લખનૌ સુપર જાયન્ટ્સમાં તેને વધુ મેચો રમવાની અને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળી શકે છે. આ વર્ષની આઈપીએલમાં અર્જુન કેવો ધડાકો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

Sarthak Ranjan DPL Stormy Innings ૬, ૬, ૬, ૬, ૬, ૬… DPLમાં પપ્પુ યાદવના પુત્ર સાર્થક રંજનનું તોફાન, ચોગ્ગાછગ્ગાનો વરસાદ વરસાવ્યો
Live Match Commentary Box Clash લાઈવ મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં અંદરોઅંદર ભીડાયા બે પૂર્વ ખેલાડીઓ, માઈક ચાલુ હોવાથી સર્જાઈ અનોખી સ્થિતિ
India Test Match Victory ભારતનો શાનદાર ટેસ્ટ વિજય પ્રથમ મેચમાં શ્રીલંકાને ૧૬૫ રનના વિશાળ અંતરથી હરાવ્યું
VVS Laxman BCCI Director of Cricket ટીમ ઇન્ડિયામાં ‘સુપર પાવર’ બનશે વીવીએસ લક્ષ્મણ? જાણો BCCI શા માટે કરવા જઈ રહ્યું છે આ મોટો બદલાવ
Exit mobile version