Site icon News Continuous Bureau | Mumbai

BCCI Revenue: ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા BCCI ને લાગ્યો જેકપોટ.. સરકારે સંસદમાં કર્યો આ ખુલાસો.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો અહીં…

BCCI Revenue: નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ અંગે માહિતી આપી હતી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ અનિલ દેસાઈના પ્રશ્નના જવાબમાં તેમણે આ માહિતી આપી હતી.

BCCI records Rs 27,411 crore revenue during FY18-22

BCCI records Rs 27,411 crore revenue during FY18-22

News Continuous Bureau | Mumbai 

BCCI Revenue: ભારતની ક્રિકેટ રેગ્યુલેટરી બોડી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ છેલ્લા પાંચ નાણાકીય વર્ષો (FY18-FY22)માં રૂ. 27,411 કરોડની સંયુક્ત આવક નોંધાવી છે, એમ નાણાં મંત્રાલયના પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું. ક્રિકેટ રેગ્યુલેટરી બોડી તેની કમાણી મીડિયા રાઇટ્સ, સ્પોન્સરશિપ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના રેવન્યુ શેરમાંથી આવે છે.

Join Our WhatsApp Channel

શિવસેના (Shivsena) (Uddhav Thackeray Group) ના સાંસદ અનિલ દેસાઈએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની આગેવાનીવાળી સરકાર એ વાતથી વાકેફ છે કે BCCI વૈશ્વિક સ્તરે બીજા નંબરની સૌથી ધનાઢ્ય રમત સંસ્થા છે. દેસાઈએ સરકારને છેલ્લા પાંચ વર્ષમાં BCCIની આવક, ખર્ચ અને ટેક્સની વિગતો શેર કરવા વિનંતી કરી હતી. પ્રશ્નનો જવાબ આપતા ચૌધરીએ કહ્યું કે કેન્દ્રએ વૈશ્વિક સ્તરે રમતગમત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અંગેનો ડેટા જાળવી રાખ્યો નથી. પરંતુ તેમણે રાજ્યસભામાં બોર્ડના આંકડા શેર કર્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે BCCIએ નાણાકીય વર્ષ 2021-2022 માટે આવકવેરા પેટે રૂ.1,159 કરોડ ચૂકવ્યા છે. “નાણાકીય વર્ષ 2020-21માં, BCCIએ આવકવેરા પેટે રૂ. 844.92 કરોડ ચૂકવ્યા હતા, જે 2019-20માં ચૂકવવામાં આવેલા રૂ. 882.29 કરોડ કરતાં થોડું ઓછું હતું. નાણાકીય વર્ષ 2019માં, બોર્ડે રૂ. 815.08 કરોડ કર ચૂકવ્યા હતા, જે 2017-18 માં ચૂકવેલા રૂ. 596.63 કરોડ કરતાં વધુ હતા.” ચૌધરીએ તેના જવાબમાં કહ્યું.

આ સમાચાર પણ વાંચો :  Air India New Logo: એર ઈન્ડિયાએ પોતાનો નવો લોગો અને ડિઝાઇન કર્યા જાહેર…. નેટીઝન્સ આપી મિશ્ર સમીક્ષાઓ… જુઓ વિડીયો…

2021-2022માં રૂ. 1,159 કરોડનો આવકવેરો

અગાઉના એક અહેવાલમાં સામે આવ્યો હતો કે BCCIએ નાણાકીય વર્ષ 2021-2022 માટે આવકવેરા તરીકે રૂ. 1,159 કરોડ ચૂકવ્યા હતા. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ બીસીસીઆઈ દ્વારા ચૂકવવામાં આવેલા આવકવેરા સિવાય છેલ્લા પાંચ વર્ષની આવક અને ખર્ચના આધારે માહિતી આપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 4298 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં, BCCIએ આવકવેરા તરીકે 844.92 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અગાઉ 2019-20માં 882.29 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2019 માં, બોર્ડે ટેક્સ તરીકે રૂ. 815.08 કરોડ ચૂકવ્યા હતા, જે 2017-18માં ચૂકવવામાં આવેલા રૂ. 596.63 કરોડ કરતાં વધુ છે.

 

Rishabh Pant LSG Captaincy Left। ઋષભ પંતનું કરિયર દાવ પર? LSG માંથી પત્તું કપાવાના એંધાણ વચ્ચે આ ધાકડ ખેલાડી બનશે નવો કેપ્ટન!
Hardik Pandya Mumbai Indians। હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જોખમમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારના સંકેત
MS Dhoni CSK Coach। IPL 2027 માં બદલાઈ જશે એમએસ ધોનીનો રોલ! સીએસકે (CSK) ના સીઈઓએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ
Exit mobile version