Site icon

IND vs BAN : ભારત સામે મેચ પહેલા બાંગ્લાદેશની વધી ચિંતા! કેપ્ટન થયો ઈજાગ્રસ્ત, મેચમાં રમવા અંગે સસ્પેન્સ.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર…વાંચો અહીં..

IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 17મી મેચ પુણેમાં રમાશે. આ મેચ 19 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ આ પહેલા બાંગ્લાદેશનો દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત થયો હતો….

IND vs BAN Bangladesh's concern increased before the match against India! Bangladesh captain Shakib fighting thigh injury at World Cup

IND vs BAN Bangladesh's concern increased before the match against India! Bangladesh captain Shakib fighting thigh injury at World Cup

News Continuous Bureau | Mumbai 

IND vs BAN : વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) માં ટીમ ઈન્ડિયાએ ( Team India ) ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન હાંસલ કરી લીધું છે, જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ ( Bangladesh ) ની ટીમ બે હાર અને એક જીત સાથે સાતમાં ક્રમે છે. આ બંને ટીમો વચ્ચે ગુરવારે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ( Shakib Al Hasan ) ઈજાગ્રસ્ત ( injured ) થતાં તેમની ચિંતા વધી ગઈ છે.

Join Our WhatsApp Community

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 17મી મેચ પુણેમાં ( Pune ) રમાશે. આ મેચ 19 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ આ પહેલા બાંગ્લાદેશનો દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ હવે બાંગ્લાદેશના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના ડૉક્ટર ખાલિદ મહમૂદે કહ્યું છે કે શાકિબ રિકવરીની નજીક છે અને તે ભારત સામે મેદાનમાં ઉતરી શકે છે.

વાસ્તવમાં, ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચ દરમિયાન શાકિબ ઈજાગ્રસ્ત થયો હતો. શાકિબ આ મેચમાં રન બનાવવા દોડ્યો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, આ પછી પણ તેણે બેટિંગ કરી અને 10 ઓવરનો ક્વોટા પણ ફેંકી હતી. પરંતુ તેને જોતા સ્પષ્ટ હતું કે તે પીડામાં હતો. જોકે હવે તેના વિશે સારા સમાચાર આવ્યા છે. બાંગ્લાદેશની ટીમના ડોક્ટરે કહ્યું છે કે શાકિબ પહેલા કરતા સારુ અનુભવી રહ્યો છે.

શાકિબ અલ હસનને ( Shakib Al Hasan ) લઈ બાંગ્લાદેશ ચિંતિત…

ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, ટીમના ડૉક્ટર ખાલિદ મહમૂદે કહ્યું, “શાકિબ ખૂબ સારું અનુભવી રહ્યો છે અને હવે કોઈ દુખાવો નથી. પરંતુ જ્યારે તેઓ પ્રેક્ટિસ માટે નેટ પર આવશે ત્યારે જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે. અમને આશા છે કે તે ભારત સામે મેદાનમાં ઉતરશે. તેનું સ્કેનિંગ કરવામાં આવશે. આ પછી ચિત્ર સ્પષ્ટ થશે. સામાન્ય રીતે, ઈજાને કારણે ઘણો દુખાવો થાય છે અને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. પરંતુ શાકિબ એકદમ ઠીક છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: બોમ્બ ધડાકા રોકવા હમાસનું બ્લેકમેઇલિંગ! બંધક ઈઝરાયલી યુવતીનો વિડીયો જાહેર કર્યો.. જુઓ વિડીયો.. વાંચો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાયેલી મેચમાં શાકિબે 51 બોલનો સામનો કરીને 40 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેણે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી હતી. શાકિબે 10 ઓવરમાં 54 રન આપીને એક વિકેટ લીધી હતી. શાકિબે ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેને આઉટ કર્યો હતો.

IPL 2026:IPL 2026:શ્રેયસ અય્યર સામે BCCIના આકરા પગલાં: જીતની ખુશીમાં લાગ્યો ₹12 લાખનો દંડ, જાણો કયા નિયમનું કર્યું ઉલ્લંઘન?
IPL 2026 Controversy:મુંબઈ ઈન્ડિયન્સ ફરી વિવાદમાં! MI vs KKR મેચમાં ‘ટોસ’ પર ઉઠ્યા ગંભીર સવાલો, વીડિયો વાયરલ થતા ફેન્સે લગાવ્યા ફિક્સિંગના આરોપ.
IPL 2026:બુમરાહ ફિટ છે કે ઈજાગ્રસ્ત? બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચતા જ અટકળો તેજ; શું IPL ની શરૂઆતી મેચો ગુમાવશે ‘યોર્કર કિંગ’?
T20 World Cup Final Controversy: ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે અર્શદીપ સિંહ પર તોળાતી આફત! ફાઈનલમાં મેદાન પર આક્રમક વર્તન બદલ ICC લેશે મોટું એક્શન.
Exit mobile version