Site icon News Continuous Bureau | Mumbai

IND vs BAN : ભારત સામે મેચ પહેલા બાંગ્લાદેશની વધી ચિંતા! કેપ્ટન થયો ઈજાગ્રસ્ત, મેચમાં રમવા અંગે સસ્પેન્સ.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર…વાંચો અહીં..

IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 17મી મેચ પુણેમાં રમાશે. આ મેચ 19 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ આ પહેલા બાંગ્લાદેશનો દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત થયો હતો….

IND vs BAN Bangladesh's concern increased before the match against India! Bangladesh captain Shakib fighting thigh injury at World Cup

IND vs BAN Bangladesh's concern increased before the match against India! Bangladesh captain Shakib fighting thigh injury at World Cup

News Continuous Bureau | Mumbai 

IND vs BAN : વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) માં ટીમ ઈન્ડિયાએ ( Team India ) ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન હાંસલ કરી લીધું છે, જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ ( Bangladesh ) ની ટીમ બે હાર અને એક જીત સાથે સાતમાં ક્રમે છે. આ બંને ટીમો વચ્ચે ગુરવારે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ( Shakib Al Hasan ) ઈજાગ્રસ્ત ( injured ) થતાં તેમની ચિંતા વધી ગઈ છે.

Join Our WhatsApp Channel

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 17મી મેચ પુણેમાં ( Pune ) રમાશે. આ મેચ 19 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ આ પહેલા બાંગ્લાદેશનો દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ હવે બાંગ્લાદેશના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના ડૉક્ટર ખાલિદ મહમૂદે કહ્યું છે કે શાકિબ રિકવરીની નજીક છે અને તે ભારત સામે મેદાનમાં ઉતરી શકે છે.

વાસ્તવમાં, ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચ દરમિયાન શાકિબ ઈજાગ્રસ્ત થયો હતો. શાકિબ આ મેચમાં રન બનાવવા દોડ્યો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, આ પછી પણ તેણે બેટિંગ કરી અને 10 ઓવરનો ક્વોટા પણ ફેંકી હતી. પરંતુ તેને જોતા સ્પષ્ટ હતું કે તે પીડામાં હતો. જોકે હવે તેના વિશે સારા સમાચાર આવ્યા છે. બાંગ્લાદેશની ટીમના ડોક્ટરે કહ્યું છે કે શાકિબ પહેલા કરતા સારુ અનુભવી રહ્યો છે.

શાકિબ અલ હસનને ( Shakib Al Hasan ) લઈ બાંગ્લાદેશ ચિંતિત…

ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, ટીમના ડૉક્ટર ખાલિદ મહમૂદે કહ્યું, “શાકિબ ખૂબ સારું અનુભવી રહ્યો છે અને હવે કોઈ દુખાવો નથી. પરંતુ જ્યારે તેઓ પ્રેક્ટિસ માટે નેટ પર આવશે ત્યારે જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે. અમને આશા છે કે તે ભારત સામે મેદાનમાં ઉતરશે. તેનું સ્કેનિંગ કરવામાં આવશે. આ પછી ચિત્ર સ્પષ્ટ થશે. સામાન્ય રીતે, ઈજાને કારણે ઘણો દુખાવો થાય છે અને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. પરંતુ શાકિબ એકદમ ઠીક છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: બોમ્બ ધડાકા રોકવા હમાસનું બ્લેકમેઇલિંગ! બંધક ઈઝરાયલી યુવતીનો વિડીયો જાહેર કર્યો.. જુઓ વિડીયો.. વાંચો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાયેલી મેચમાં શાકિબે 51 બોલનો સામનો કરીને 40 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેણે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી હતી. શાકિબે 10 ઓવરમાં 54 રન આપીને એક વિકેટ લીધી હતી. શાકિબે ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેને આઉટ કર્યો હતો.

Rishabh Pant LSG Captaincy Left। ઋષભ પંતનું કરિયર દાવ પર? LSG માંથી પત્તું કપાવાના એંધાણ વચ્ચે આ ધાકડ ખેલાડી બનશે નવો કેપ્ટન!
Hardik Pandya Mumbai Indians। હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જોખમમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારના સંકેત
MS Dhoni CSK Coach। IPL 2027 માં બદલાઈ જશે એમએસ ધોનીનો રોલ! સીએસકે (CSK) ના સીઈઓએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ
Exit mobile version