Site icon

IND vs ENG 3rd Test: લોર્ડ્સ ટેસ્ટમાં ભારત કેમ હાર્યું? કપ્તાન શુભમન ગિલએ જણાવ્યું કારણ.. પંત અને બુમરાહ અંગે પણ આપ્યું મોટું અપડેટ..

IND vs ENG 3rd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં, યજમાન ટીમે મહેમાન ટીમને 22 રને હરાવ્યું. આ જીત સાથે ઇંગ્લેન્ડે ૧-૨ની લીડ મેળવી લીધી. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે હારનું કારણ સમજાવ્યું. તેમણે કહ્યું કે તેમને છેલ્લા દિવસે જીતનો વિશ્વાસ હતો, પરંતુ મોટી ભાગીદારીની જરૂર હતી.

IND vs ENG 3rd Test Shubman Gill reveals real reason behind India's painful defeat in Lord's Test against England

IND vs ENG 3rd Test Shubman Gill reveals real reason behind India's painful defeat in Lord's Test against England

News Continuous Bureau | Mumbai

  IND vs ENG 3rd Test: લોર્ડ્સ ટેસ્ટના અંતિમ દિવસે ભારત પાસે જીતની અમુક આશા રહી હતી. શુભમન ગિલ, ટીમના યુવા કેપ્ટને કહ્યું કે તેઓ “સવારથી જીતી શકાય તેવી સ્થિતિ”માં હતા, પરંતુ યોગ્ય ભાગીદારી ન મળવાને કારણે જીતી શક્યા નહીં. તેમણે જણાવ્યું કે જો એક મોટી ભાગીદારી થઈ હોત, તો ટીમ જીત તરફ આગળ વધી શકી હોત. તેમ છતાં, ગિલે આખી ટીમના પ્રયત્નો પર ગર્વ વ્યક્ત કર્યો. 

Join Our WhatsApp Community

રવીન્દ્ર જડેજાની જઝ્બાવાળી ઇનિંગ પણ હાર અટકાવી ન શકી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતે 82 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ જાડેજા (61 અણનમ, 181 બોલ, ચાર ચોગ્ગા, એક છગ્ગા) એ નીતીશ કુમાર રેડ્ડી (૧૩) સાથે આઠમી વિકેટ માટે ૯૧ બોલમાં 30 રન, જસપ્રીત બુમરાહ (05) સાથે નવમી વિકેટ માટે 132 બોલમાં 35 રન અને સિરાજ સાથે છેલ્લી વિકેટ માટે 80 બોલમાં 23 રનની ભાગીદારી કરીને અણધારી જીતની આશા જગાવી હતી, પરંતુ અંતે ટેસ્ટ ક્રિકેટના અસમાન સંતુલનથી હાર થઈ.

આ સમાચાર પણ વાંચો : Athlete Fauja Singh Passes Away: વિશ્વના સૌથી વયસ્ક મેરાથોન દોડવીરે કાર અકસ્માતમાં ગુમાવ્યો જીવ, 100 વર્ષની ઉંમરે લીધો હતો મેરેથોનમાં ભાગ..

IND vs ENG 3rd Test: શું પંત અને બુમરાહ આગામી મેચમાં જોવા મળશે?  

ગિલે જણાવ્યું કે ઋષભ પંતની ઈજાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે પંત ચોથી ટેસ્ટમાં રમવા માટે ફિટ થઈ જશે કારણ કે સ્કેનમાં તેની આંગળીમાં કોઈ મોટી ઈજા જોવા મળી નથી. ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ત્રીજી ટેસ્ટના શરૂઆતના દિવસે બીજા સત્રમાં ડાબી તર્જની આંગળીમાં ઈજા થતાં પંતને મેદાન છોડવું પડ્યું હતું. ગિલે કહ્યું, ‘પંત સ્કેન માટે ગયો હતો.’ કોઈ મોટી ઈજા નથી તેથી તે મૈન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ માટે ફિટ હોવો જોઈએ. જ્યારે જસપ્રીત બુમરાહ અંગે મૌન જાળવતા કહ્યું તમને જલ્દી જ તેનું અપડેટ મળશે.  

 

T20 World Cup 2026: પાકિસ્તાનના ઇનકાર વચ્ચે સૂર્યકુમાર યાદવનું સ્પષ્ટ નિવેદન: “અમે કોઈને ના નથી કહી”
IND vs PAK: પાકિસ્તાનના નિર્ણય પર ICC લાલચોળ! ભારત સામેના મેચનો બહિષ્કાર કરવા બદલ થઈ શકે છે મોટી કાર્યવાહી
T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Exit mobile version