Site icon

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, રોહિત શર્માની જગ્યાએ આ ગુજરાતી ખેલાડીને મુંબનાવ્યો ટીમનો કેપ્ટન..

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. થોડા દિવસો પહેલા જ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા આવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારથી જ આ અપેક્ષા રાખવામાં આવી રહી હતી.

IPL 2024 Hardik Pandya takes over as Mumbai Indians captain

IPL 2024 Hardik Pandya takes over as Mumbai Indians captain

News Continuous Bureau | Mumbai

IPL 2024: IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે ( Mumbai Indians ) આગામી સિઝન માટે કેપ્ટનની ( Captain ) જાહેરાત કરી દીધી છે. હવે રોહિત શર્મા નહીં પરંતુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) ટીમની કમાન સંભાળશે. 19મી ડિસેમ્બરે યોજાનારી મીની હરાજી પહેલા ટીમે તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.

Join Our WhatsApp Community

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કરવામાં આવેલ આ એક મોટો ફેરફાર છે. જ્યારે IPLના સૌથી સફળ અને ફેવરિટ કેપ્ટન રોહિત શર્માને ( Rohit Sharma ) કેપ્ટનશિપ પરથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સની ( Gujarat Titans ) કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિક પંડ્યાનો તાજેતરમાં મુંબઈમાં સામેલ થયો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેને ટીમની કેપ્ટનશીપ ( Captaincy ) આપવામાં આવી શકે છે.

2015માં પ્રથમ વખત MIનો ભાગ બન્યો

મહત્વનું છે કે હાર્દિક પંડ્યા વર્ષ 2015માં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. ટીમે તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી જ તેણે 2016માં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી હતી. ગુજરાત ટાઇટન્સે તેને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ 2022માં ચેમ્પિયન બની હતી જ્યારે 2023ની IPLમાં રનર અપ રહી હતી. ભારતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હોવા ઉપરાંત, હાર્દિક ભારતીય T20 ટીમનો વર્તમાન કેપ્ટન પણ છે.

આ સમાચાર પણ વાંચો :  MLA Disqualification Case: સુપ્રીમ કોર્ટ તરફથી વિધાનસભા અધ્યક્ષને રાહત, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવા માટે મળ્યો આ તારીખ સુધી સમય..

રોહિતે 163 મેચમાં કેપ્ટનશિપ કરી છે

રોહિત શર્માએ વર્ષ 2013માં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી, તે 10 વર્ષ સુધી ટીમનો કેપ્ટન રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે 163 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી ટીમે 91માં જીત મેળવી. તેમની કેપ્ટનશીપમાં ટીમ 5 વખત ચેમ્પિયન બની હતી.

KKRએ પણ કેપ્ટન બદલ્યો

આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ( KKR ) એ પણ ગુરુવારે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. આગામી સિઝનમાં બેટ્સમેન શ્રેયસ અય્યર ફરી એકવાર ટીમની કમાન સંભાળતા જોવા મળશે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી નીતિશ રાણાના હાથમાં હશે. ઉલ્લેખનીય છે કે ગત સિઝનમાં ઐયરની ગેરહાજરીમાં નીતિશે ટીમની કમાન સંભાળી હતી. અમદાવાદમાં રમાયેલી ચોથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચ દરમિયાન શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી.

IND vs ENG SemiFinal: ઇંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક! શું ભારત તોડશે સેમીફાઈનલનો ‘અભિશાપ’? જાણો ફાઈનલની ટિકિટ મેળવવા શું છે માસ્ટર પ્લાન.
T20 World Cup: ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ પર તોળાયું સંકટ: જો મેચ રદ થાય તો ટીમ ઈન્ડિયા થશે બહાર; જાણો ICC ના કયા નિયમથી ઈંગ્લેન્ડને મળશે ફાઈનલની ટિકિટ.
T20 World Cup 2026: ટીમ ઇન્ડિયાનો સેમીફાઇનલનો રસ્તો સાફ! આ શક્તિશાળી ટીમ સામે થશે મહામુકાબલો; જાણો ક્યારે અને કયા મેદાન પર રમાશે મેચ
India’s T20 Semifinal Race:ભારતની સેમીફાઇનલની આશા અધ્ધરતાલ! દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે પછાડ્યું; જાણો હવે કેવી રીતે ભારત આગળ વધી શકશે?.
Exit mobile version