Site icon News Continuous Bureau | Mumbai

Rishabh Pant LSG Captaincy Left। ઋષભ પંતનું કરિયર દાવ પર? LSG માંથી પત્તું કપાવાના એંધાણ વચ્ચે આ ધાકડ ખેલાડી બનશે નવો કેપ્ટન!

Rishabh Pant LSG Captaincy Left। ૨૭ કરોડના પંતને રિલીઝ કરવા લખનૌ સુપર જાયન્ટ્સ ગંભીરતાથી વિચારી રહ્યું છે ફ્લોપ કેપ્ટન્સી અને ખરાબ બેટિંગના કારણે મેનેજમેન્ટ નારાજ; આગામી સીઝન પહેલા મોટા ફેરફારોની તૈયારી.

Rishabh Pant LSG Captaincy Left। ઋષભ પંતનું કરિયર દાવ પર? LSG માંથી પત્તું કપાવાના એંધાણ વચ્ચે આ ધાકડ ખેલાડી બનશે નવો કેપ્ટન!

Rishabh Pant LSG Captaincy Left। ઋષભ પંતનું કરિયર દાવ પર? LSG માંથી પત્તું કપાવાના એંધાણ વચ્ચે આ ધાકડ ખેલાડી બનશે નવો કેપ્ટન!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rishabh Pant LSG Captaincy Left। ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત નું આઈપીએલ (IPL) માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની ફ્રેન્ચાઈઝી સાથેનું ભવિષ્ય હવે ગંભીર સવાલોના ઘેરાવામાં આવી ગયું છે. લખનૌની કેપ્ટન્સી છોડવાના પંતના તાજેતરના નિર્ણય બાદ એવું માનવામાં આવતું હતું કે ફ્રેન્ચાઈઝીની અંદર ચાલી રહેલી અટકળો પર વિરામ આવી જશે, પરંતુ અંદરખાને ચિત્ર કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે. અહેવાલો અને આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, એલએસજી મેનેજમેન્ટ આગામી સીઝનની હરાજી પહેલા ઋષભ પંતને ટીમમાંથી સંપૂર્ણપણે મુક્ત (રિલીઝ) કરવાના વિકલ્પ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

૨૭ કરોડની રેકોર્ડ કિંમત સામે ફ્લોપ સાબિત થયો પંત, કેપ્ટન તરીકે જીતની ટકાવારી માત્ર ૩૫.૭૧

વાસ્તવમાં, આઈપીએલ ૨૦૨૫ ની મેગા ઓક્શન (હરાજી) માં લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને ૨૭ કરોડની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક કિંમતે ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, પંત ટીમની અને મેનેજમેન્ટની આશાઓ પર બિલકુલ ખરો ઉતરી શક્યો નથી. વિતેલી બે સીઝનમાં તેણે ૨૮ મેચોમાં માત્ર ૫૮૧ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૧૩૫.૭૪ અને બેટિંગ એવરેજ ૨૬.૪૦ ની અત્યંત સામાન્ય રહી છે. કેપ્ટન તરીકે પણ તેનો રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે, જ્યાં ૨૮ મેચોમાંથી ટીમ માત્ર ૧૦ મેચ જીતી શકી હતી અને તેનો જીતનો ગુણોત્તર માત્ર ૩input૫.૭૧ ટકા રહ્યો હતો.

આઈપીએલ ૨૦૨૬ માં લખનૌની ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી, ટૉમ મૂડીએ આપ્યું નિવેદન

આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) ની સીઝનમાં લખનૌની ટીમનું પ્રદર્શન વધુ ખરાબ રહ્યું હતું, જ્યાં ટીમ 15 મેચોમાંથી માત્ર ૪ જીત સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહી હતી. ફ્રેન્ચાઈઝી દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પંતે પોતે કેપ્ટન પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ટૉમ મૂડીએ (Tom Moody) જણાવ્યું કે, “ઋષભે ફ્રેન્ચાઈઝી સમક્ષ આ વિનંતી કરી હતી અને અમે આદરપૂર્વક તેનો સ્વીકાર કર્યો છે. આવા નિર્ણયો સરળ નથી હોતા, પરંતુ હવે અમારું ધ્યાન આગામી સીઝન માટે ટીમને ફરીથી મજબૂત કરવા પર કેન્દ્રિત છે.”

નિકોલસ પૂરનને વધુ એક તક મળી શકે છે, કેન વિલિયમસન અને જસ્ટિન લેંગર લેશે આખરી નિર્ણય

મેનેજમેન્ટની અંદર અત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે ૨૭ કરોડના તોતિંગ બજેટ સામે પંતનું આઉટપુટ ટીમ માટે ફાયદાકારક સાબિત નથી થયું. લખનૌના થિંક ટેન્કમાં ટૉમ મૂડી, જસ્ટિન લેંગર અને અનુભવી ન્યુઝીલેન્ડના ખેલાડી કેન વિલિયમસન (Kane Williamson) જેવા દિગ્ગજ ક્રિકેટિંગ માઇન્ડ્સ સામેલ છે, જેઓ ટીમમાં મોટો સંતુલન લાવવા માંગે છે. બીજી તરફ, ટીમમાં મોટા ફેરફારો વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran) ને રાહત મળી શકે છે. ૨૧ કરોડમાં રીટેન કરાયેલા પૂરને આ સીઝનમાં માત્ર ૨૩૪ રન બનાવ્યા હોવા છતાં, અગાઉની સીઝનમાં તેના બેટથી ૫૨૪ રન નીકળ્યા હતા, જેના કારણે મેનેજમેન્ટ હજુ પણ તેના પર ભરોસો જાળવી રાખવા તૈયાર છે. પંત અને પૂરન બંને પાછળ લખનૌએ કુલ ૪૮ કરોડ ખર્ચ્યા હતા, જેનો યોગ્ય ફાયદો આગામી સીઝનમાં મેળવવા માટે ફ્રેન્ચાઈઝી નવા કેપ્ટનની શોધમાં છે.

👉 આ સમાચાર વાચો:
Gold Price Today। લગ્નસરા વચ્ચે સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો ૨૨ કેરેટ અને ૨૪ કેરેટનો આજનો ભાવ

Hardik Pandya Mumbai Indians। હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જોખમમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારના સંકેત
MS Dhoni CSK Coach। IPL 2027 માં બદલાઈ જશે એમએસ ધોનીનો રોલ! સીએસકે (CSK) ના સીઈઓએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ
IPL 2026 Playoffs। IPL 2026 માં રચાશે નવો ઈતિહાસ! CSK, MI અને KKR ના ‘ખાસ સ્પેશિયલ ક્લબ’માં જોડાશે આ નવી ટીમ, જાણી લો સમીકરણ
Exit mobile version