Site icon News Continuous Bureau | Mumbai

M S Dhoni: BCCI નો મોટો નિર્ણય…. સચિન બાદ હવે આ જર્સી પણ મેદાનમાં નહી જોવા મળશે.. જુઓ અહીં..

M S Dhoni: BCCIએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ આ નિર્ણય ધોનીના ઈન્ટરનેશનલ રિટાયરમેન્ટ બાદ લીધો છે. ધોનીનો આઇકોનિક નંબર 7 જે હવે કોઈ અન્ય ભારતીય ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં.

M S Dhoni Big decision of BCCI... After Sachin now this jersey will not be seen in the field

M S Dhoni Big decision of BCCI... After Sachin now this jersey will not be seen in the field

News Continuous Bureau | Mumbai

M S Dhoni: BCCIટીમ ઈન્ડિયા ( Team India ) ના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ( M S Dhoni ) ની જર્સી ( Jersey ) ને રિટાયર ( retire )  કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈ ( BCCI ) એ આ નિર્ણય ધોનીના ઈન્ટરનેશનલ રિટાયરમેન્ટ ( International Retirement ) બાદ લીધો છે. ધોનીનો આઇકોનિક નંબર 7 જે હવે કોઈ અન્ય ભારતીય ખેલાડી ( Indian player ) માટે ઉપલબ્ધ રહેશે નહીં.

Join Our WhatsApp Channel

આ નિવૃત્તિ પછી, ધોની ભારતીય ક્રિકેટનો બીજો એવો ખેલાડી બન્યો કે જેની આઈકોનિક નંબર 7 નિવૃત્ત થઈ ગઈ છે. આ પ્રકારનું સન્માન મેળવનાર ભારતીય ક્રિકેટરોમાં સચિન તેંડુલકર ( Sachin Tendulkar ) પ્રથમ હતો. જેની જર્સી નંબર 10 જે 2017માં રિટાયર થઈ ગઈ હતી.

 મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો…

7 નંબરની જર્સી સાથે ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T-20 વર્લ્ડ કપ, પછી 2011માં ODI કપ અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 15 ઓગસ્ટ, 2020 ના રોજ, મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. ધોનીએ 2014માં જ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  Suhana khan: જનરલ નોલેજ માં ઝીરો નીકળી સુહાના ખાન, કેબીસી 15 માં પિતા શાહરુખ ખાન સાથે જોડાયેલ આ પ્રશ્ન નો ના આપી શકી સાચો જવાબ

ICC તમામ ખેલાડીઓને નિયમ મુજબ 1 થી 100 વચ્ચે કોઈપણ નંબર પસંદ કરવાની મંજૂરી આપે છે. પરંતુ ભારતમાં આવા વિકલ્પો ઉપલબ્ધ નથી. અહીં ખેલાડીઓને મર્યાદિત વિકલ્પો મળે છે. ટીમ ઈન્ડિયાના દાવેદારોને 1 થી 60 સુધીના નંબર આપવામાં આવ્યા છે. ખેલાડીઓ તેમની પસંદગી મુજબ નંબર પસંદ કરી શકે છે. જો કોઈ ખેલાડીએ એક નંબર પસંદ કર્યો હોય તો અન્ય ખેલાડી તે જ નંબર પસંદ કરી શકશે નહીં.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે જો કોઈ ખેલાડી ટીમની બહાર રહે છે તો તેનો નંબર એક વર્ષ સુધી અન્ય કોઈ ખેલાડીને આપવામાં આવતો નથી. આનો અર્થ એ થયો કે તાજેતરમાં જ ડેબ્યૂ કરનાર ખેલાડી પાસે પસંદગી માટે માત્ર 30 નંબરો છે.

Rishabh Pant LSG Captaincy Left। ઋષભ પંતનું કરિયર દાવ પર? LSG માંથી પત્તું કપાવાના એંધાણ વચ્ચે આ ધાકડ ખેલાડી બનશે નવો કેપ્ટન!
Hardik Pandya Mumbai Indians। હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જોખમમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારના સંકેત
MS Dhoni CSK Coach। IPL 2027 માં બદલાઈ જશે એમએસ ધોનીનો રોલ! સીએસકે (CSK) ના સીઈઓએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ
Exit mobile version