Site icon

Mayank Agarwal: આ ભારતીય ક્રિકેટર સામે રચાયું ષડયંત્ર? ફલાઈટમાં પાણીમાં ઝેર આપ્યાની આશંકા.. પોલીસ તપાસ ચાલુ..

Mayank Agarwal: કર્ણાટક ટીમનો કેપ્ટન મયંક અગ્રવાલ પોતાની ટીમ સાથે અગરતલાથી સુરત જઈ રહ્યો હતો. ત્યારે પ્લેનમાં ચડતાની સાથે જ તેને અચાનક મોઢામાં બળતરા થવા લાગી અને તેને ઉલ્ટી થવા લાગી. આ પછી, તેને તરત જ પ્લેનમાંથી ઉતારવામાં આવ્યો અને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તે હજુ પણ હોસ્પિટલમાં છે.

Mayank Agarwal A conspiracy against this Indian cricketer Suspected of poisoning the water in the flight

Mayank Agarwal A conspiracy against this Indian cricketer Suspected of poisoning the water in the flight

News Continuous Bureau | Mumbai 

Mayank Agarwal: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડી છે. અગરતલાથી સુરત જતી વખતે ફ્લાઇટ ( Flight ) દરમિયાન પાણી ( Flight Water ) પીધા બાદ તેને મોઢામાં અને ગળામાં બળતરા થવા લાગી હતી. આ પછી તેને અગરતલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. 32 વર્ષીય ખેલાડીની હાલત હવે સ્થિર છે.

Join Our WhatsApp Community

અગ્રવાલ હાલમાં ચાલી રહેલી 2023-24 રણજી ટ્રોફીમાં ( Ranji Trophy ) કર્ણાટકની ( Karnataka ) કેપ્ટનશીપ કરી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગ્રવાલ ( Indian cricketer ) બોટલનું પાણી પીધા પછી બીમાર પડ્યો હતો અને મોઢામાં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી હતી. એક રિપોર્ટ મુજબ એવી આશંકા ચાલી રહી છે કે, તેને પ્લેનમાં ઝેર આપવામાં આવ્યું હતું. કારણ કે ફ્લાઈટમાં પાણી પીધા બાદ જ અગ્રવાલ બીમાર પડ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

 મયંક અગ્રવાલ તેની આગામી સૌરાષ્ટ્ર સામેની મેચ રમી શકશે નહીં…

પ્રાપ્ત માહિતી મુજબ, ત્રિપુરાના અગરતલાથી સુરત જતી વખતે આ ઘટના બની હતી. મયંકે સીટની સામે મૂકેલું પાણી પીધું હતું. પાણી પીતાની સાથે જ તેની જીભ, મોઢામાં બળતરા થવા લાગી હતી. જે બાદ મયંક બોલી ન શક્યો અને તેને તાત્કાલિક અગરતલાની આઈએલએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Rule Change: LPG, FASTag થી લઈને મની ટ્રાન્સફર સુધી.. દેશમાં 1 ફેબ્રુઆરીથી આ 6 મોટા નિયમોમાં થશે ફેરફારો.. જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે?

આ પછી, મયંકના મેનેજરે આ મામલે ષડયંત્રની ( conspiracy ) શંકા જતા પોલીસમાં તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી, જેને પોલીસે સ્વીકારી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે મયંકની હાલત હવે સ્થિર છે અને તે કોઈપણ પ્રકારના ખતરાથી બહાર છે. ત્રિપુરાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરશે અને મયંકને શક્ય તમામ સારવાર પૂરી પાડવામાં આવશે.

કર્ણાટક ટીમ શુક્રવાર (2 ફેબ્રુઆરી)થી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રેલ્વે સામે મેચ રમવાનું છે. અગ્રવાલ આ માટે જ સુરત જઈ રહ્યા હતા. તે સૌરાષ્ટ્ર સામેની આ મેચમાં રમી શકશે નહીં. અગ્રવાલ અત્યાર સુધી જબરદસ્ત ફોર્મમાં છે વર્તમાન રણજી ટ્રોફી સિઝનમાં તેણે ચાર મેચમાં 460 રન બનાવ્યા છે. તેના નામે બે સદી છે. કર્ણાટક રણજી ટ્રોફી એલિટ ગ્રુપના ગ્રુપ સીમાં ચાર મેચમાંથી 15 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જેમાં બેમાં જીત અને એક મેચમાં હાર થઈ છે.

અગ્રવાલે 2018માં ડેબ્યૂ ( Cricket ) કર્યા બાદ ભારત માટે તેની કારકિર્દીમાં કુલ 21 ટેસ્ટ મેચ રમી છે. તેણે 21 મેચોમાં 41.3ની એવરેજથી 1488 રન બનાવ્યા, જેમાં તેના નામે ચાર સદી સામેલ છે. ભારત માટે તેની છેલ્લી ઈનિંગ માર્ચ 2022માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં હતી. અગ્રવાલે 5 વનડે પણ રમી છે. અગ્રવાલ 2023માં જોડાયા બાદ 2024ની સિઝન માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ બન્યો છે. અગ્રવાલે લીગની 2022 સીઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
CWG 2030 Gujarat: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી
Sachin Tendulkar: સચિન તેંડુલકરે કરી પુત્ર અર્જુનની સગાઈની પુષ્ટિ, પુત્રી સારા વિશે પણ કહી આવી વાત
Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પુજારાની નિવૃત્તિ: હવે કેવી રીતે કરશે કમાણી? જાણો કેટલી છે નેટવર્થ અને સંન્યાસ બાદની યોજના
Exit mobile version