Site icon

Pakistan Cricket Board: PCBએ કરી પાકિસ્તાનના નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન.. જુઓ અહીં…

Pakistan Cricket Board: વર્લ્ડ કપના લીગ તબક્કામાં પાકિસ્તાનની ટીમે તેની કુલ 9 મેચમાંથી 4માં જીત મેળવી હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. પાકિસ્તાનના આ ખરાબ પ્રદર્શન બાદ પીસીબીએ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફાર કર્યા છે…

Pakistan Cricket Board PCB announced the new captain of Pakistan, this player became the captain..

Pakistan Cricket Board PCB announced the new captain of Pakistan, this player became the captain..

News Continuous Bureau | Mumbai

Pakistan Cricket Board: વર્લ્ડકપમાં પાકિસ્તાનના ( Pakistan ) ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ( Babar azam ) કેપ્ટનશિપ ( Captainship )  પરથી રાજીનામું ( Resignation ) આપી દીધું છે. હવે પીસીબીએ શાહીન શાહ આફ્રિદીને ( Shaheen Shah Afridi ) ટી-20નો કેપ્ટન ( T20 captain ) અને શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. જોકે, વનડે ફોર્મેટ માટે હજુ સુધી કોઈ કેપ્ટનની નિમણૂક કરવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેની ટીમે પ્રથમ બે મેચ જીતી હતી અને ત્યારબાદ સતત 4 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

Join Our WhatsApp Community

વર્લ્ડ કપના લીગ તબક્કામાં પાકિસ્તાનની ટીમે તેની કુલ 9 મેચમાંથી 4માં જીત મેળવી હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. પાકિસ્તાનના આ ખરાબ પ્રદર્શન બાદ પીસીબીએ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફાર કર્યા છે. બાબર આઝમે સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ પીસીબીએ બંને ફોર્મેટ માટે નવા કેપ્ટનના નામની જાહેરાત પણ કરી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ ટી20 ટીમનો કેપ્ટન યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી હશે. તે જ સમયે, PCBએ શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટ માટે તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

અહીં નોંધનીય બાબત એ છે કે પાકિસ્તાને ODI ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ PCBએ હજુ સુધી ટેસ્ટ અને T20 ફોર્મેટના નવા કેપ્ટનની નિમણૂક કરી છે, જ્યારે ODI ફોર્મેટના નવા કેપ્ટનની નિમણૂક કરવામાં આવી નથી. જો કે, ક્રિકેટ નિષ્ણાતો અને સોશિયલ મીડિયા પર અફવાઓ અનુસાર, PCB શાહીન શાહ આફ્રિદીને ODI ફોર્મેટનો કેપ્ટન પણ બનાવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

 ‘હું આજે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું: બાબર આઝમ…

દરમિયાન બાબરે X પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘મને તે સમય સારી રીતે યાદ છે, જ્યારે 2019માં પાકિસ્તાનનું નેતૃત્વ કરવા માટે PCBથી કોલ આવ્યો હતો. છેલ્લા 4 વર્ષમાં મે મેદાન અને બહાર અનેક ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ મેં પૂરા હૃદયથી સંપૂર્ણ લગનથી ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ વધારવા માટેનું લક્ષ્ય રાખ્યું છે.’

આ સમાચાર પણ વાંચોઃ Mumbai: દિવાળી વેકેશન દરમિયાન વીરમાતા જીજાબાઈ ભોસલે પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો રેકોર્ડ ધસારો… જાણો વિગેત અહીં..

તેમણે વધુમાં લખ્યું કે, ‘વ્હાઈટ બૉલ ક્રિકેટમાં નંબર-1 સ્થાન પર પહોંચવું ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ સફર દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગું છું.’

બાબરે કહ્યું કે, ‘હું આજે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક આકરો નિર્ણય છે, પરંતુ હું સમજું છું કે આ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતો રહીશ. નવા કેપ્ટન અને ટીમને મારો સંપૂર્ણ સપોર્ટ રહેશે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભારી છું જેમણે મને આ મહત્વની જવાબદારી આપી.’

T20 World Cup Final Controversy: ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે અર્શદીપ સિંહ પર તોળાતી આફત! ફાઈનલમાં મેદાન પર આક્રમક વર્તન બદલ ICC લેશે મોટું એક્શન.
IND vs NZ T20 Final Ahmedabad: ફાઈનલ જીતવા કપિલ દેવનો ગુરુમંત્ર! અભિષેક શર્માને ટીમમાં સામેલ કરવા મેનેજમેન્ટને આગ્રહ; શું ટીમ ઈન્ડિયા માનશે સલાહ?
IND vs NZ T20 World Cup Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ! ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ? નોંધી લો તારીખ અને સમય..
IND vs ENG SemiFinal: ઇંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક! શું ભારત તોડશે સેમીફાઈનલનો ‘અભિશાપ’? જાણો ફાઈનલની ટિકિટ મેળવવા શું છે માસ્ટર પ્લાન.
Exit mobile version