Site icon News Continuous Bureau | Mumbai

Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ

Rohit Sharma Padma Shri Award। દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' માટે પસંદ થયેલો હિટમેન દિલ્હીના કાર્યક્રમમાં ન પહોંચી શક્યો; આગામી તબક્કામાં રાષ્ટ્રપતિના હસ્તે થશે બહુમાન

Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ

Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rohit Sharma Padma Shri Award। ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ‘હિટમેન’ રોહિત શર્માના ચાહકો માટે સોમવારનો દિવસ થોડો આશ્ચર્ય અને ચિંતાનો રહ્યો હતો. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘પદ્મ પુરસ્કાર સમારોહ’માં રોહિત શર્મા હાજર રહી શક્યો ન હતો. ચાલુ વર્ષની શરૂઆતમાં જ રોહિત શર્માની દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ‘પદ્મશ્રી’ (Padma Shri) એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી. આ ભવ્ય સમારોહમાં રોહિત કેમ ન પહોંચ્યો તેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ચર્ચા અને ઉત્સુકતા જાગી છે.

રોહિત શર્મા એવોર્ડથી વંચિત નહીં રહે

પદ્મ પુરસ્કાર સોહળામાં હાજર ન રહેવા છતાં રોહિત શર્માના ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે, તે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી વંચિત રહ્યો નથી. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન અલગ-અલગ તબક્કામાં (ફેઝ) કરવામાં આવતું હોય છે. રમતવીરોના શિડ્યુલ, તેમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસો અને સરકારી આયોજનને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ગોઠવાય છે. પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં રોહિત ગેરહાજર રહ્યો હોવાથી હવે આગામી બીજા તબક્કાના સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેને સત્તાવાર રીતે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ટી20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનનું અદભુત યોગદાન

રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ જગતમાં આપેલા અદભુત અને અભૂતપૂર્વ યોગદાનની કદરરૂપે જ સરકાર દ્વારા આ સર્વોચ્ચ સન્માન માટે તેની પસંદગી કરવામાં આવી છે. રોહિતની શાનદાર કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે વૈશ્વિક સ્તરે દેશનો તિરંગો ગર્વથી ફેલાવ્યો છે. રોહિત શર્માના જ નેતૃત્વમાં ભારતીય ટીમે વર્ષ ૨૦૨૪ માં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપ (T20 World Cup 2024) નું ટાઈટલ જીતીને કરોડો દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું અને આઈસીસી ટ્રોફીનો દુકાળ ખતમ કર્યો હતો.

હરમનપ્રીત કૌર અને સવિતા પુનિયા સહિતના દિગ્ગજોનું સન્માન

દિલ્હીમાં યોજાયેલા આ ભવ્ય પદ્મ પુરસ્કાર સમારોહમાં માત્ર રોહિત શર્મા જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનારી અન્ય ઘણી હસ્તીઓનું પણ ‘પદ્મશ્રી’ એવોર્ડ આપીને ગૌરવ કરવામાં આવ્યું હતું. આ યાદીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ભારતીય મહિલા હોકી ટીમની સ્ટાર ગોલકીપર સવિતા પુનિયા અને પેરા એથ્લેટ પ્રવીણ કુમાર જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓએ રાષ્ટ્રપતિના હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકાર્યો હતો.

👉 આ સમાચાર વાચો:
PM Modi Norway Visit 2026। પીએમ મોદીને પ્રશ્ન પૂછનાર વિદેશી મહિલા પત્રકાર મુશ્કેલીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ

Sarthak Ranjan DPL Stormy Innings ૬, ૬, ૬, ૬, ૬, ૬… DPLમાં પપ્પુ યાદવના પુત્ર સાર્થક રંજનનું તોફાન, ચોગ્ગાછગ્ગાનો વરસાદ વરસાવ્યો
Live Match Commentary Box Clash લાઈવ મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં અંદરોઅંદર ભીડાયા બે પૂર્વ ખેલાડીઓ, માઈક ચાલુ હોવાથી સર્જાઈ અનોખી સ્થિતિ
India Test Match Victory ભારતનો શાનદાર ટેસ્ટ વિજય પ્રથમ મેચમાં શ્રીલંકાને ૧૬૫ રનના વિશાળ અંતરથી હરાવ્યું
VVS Laxman BCCI Director of Cricket ટીમ ઇન્ડિયામાં ‘સુપર પાવર’ બનશે વીવીએસ લક્ષ્મણ? જાણો BCCI શા માટે કરવા જઈ રહ્યું છે આ મોટો બદલાવ
Exit mobile version