Site icon

Rohit Sharma: રોહિત શર્મા છોડશે મુંબઈ ઈન્ડિયન્સનો સાથ ! હવે રોહિત કઈ ટીમ માટે રમી શકે છે? આ 2 ટીમોના નામ સૌથી આગળ.

Rohit Sharma: આઈપીએલ 2025 માટે આગામી વર્ષે મેગા ઓકશન યોજાવવાનું છે. તેથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચાલી રહી છે અણબન વચ્ચે આશા જાતાઈ રહી છે કે રોહિત શર્મા હવે આ બે ટીમ બંનેમાંથી કોઈ એકમાં જોડાઈ થઈ શકે છે. જાણો કઈ છે એ ટીમ..

Rohit Sharma will leave Mumbai Indians! Which team can Rohit play for now The names of these 2 teams are foremost..

Rohit Sharma will leave Mumbai Indians! Which team can Rohit play for now The names of these 2 teams are foremost..

News Continuous Bureau | Mumbai

Rohit Sharma: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ ઘણી ખરાબ રહી હતી. નિષ્ણાતોનું માનવું છે કે મુંબઈના ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ ટીમમાં આંતરિક મતભેદ હતો. ઉલ્લેખનીય છે કે, આ સિઝનની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સના ( Mumbai Indians ) ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો હતો. ઘણા વર્ષો સુધી મુંબઈ ટીમનો કેપ્ટન રહેલા રોહિત શર્માને હટાવીને તેની જગ્યાએ કેપ્ટનશિપની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

જો કે, ઘણા સિનિયર ખેલાડીઓ હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવા માટે સહમત ન હતા. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયથી ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. તેથી હવે એવી ચર્ચા છે કે કેપ્ટન પદ પરથી હટાવ્યા બાદ રોહિત શર્મા પણ નારાજ છે. માહિતી એ પણ સામે આવી રહી છે કે રોહિત અને મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ વચ્ચે કેટલાક મતભેદ પણ થયા છે.

 Rohit Sharma: રોહિત શર્માને હવે પંજાબની ટીમમાં જોડવાનો પ્રયાસ કરી શકે છે.

આ પૃષ્ઠભૂમિમાં આગામી વર્ષની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ઘણી ઉથલપાથલ થઈ શકે છે. જો અગાઉનો નિયમ રહેશે તો તમામ ટીમો તેમના ત્રણ ખેલાડીઓને જાળવી રાખશે. તેથી મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) , જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને જાળવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં મતદાનમાં થશે વધારો! મતદાનના દિવસે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મતદારોને મળશે હવે મફત વાહન વ્યવસ્થા સુવિધા..

રોહિત શર્માને જો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જાળવી રાખવામાં ન આવ્યો તો, તે આઈપીએલ 2025 માટે પંજાબ કિંગ્સ ( Punjab Kings ) અથવા લખનૌ સુપર જાયન્ટ્સમાં ( Lucknow Super Giants ) જોડાઈ શકે છે. IPL 2024ની શરૂઆતમાં પંજાબની ટીમનું નેતૃત્વ શિખર ધવન કરી રહ્યો હતો. પરંતુ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્યારપછી સેમ કુરેને સુકાની પદ સંભાળ્યું હતું.

જોકે આ પછી પણ પંજાબની ટીમના પ્રદર્શનમાં વધુ સુધારો થયો નથી. પંજાબની ટીમમાં હંમેશા સારા ખેલાડીઓ હોય છે. પરંતુ ટીમના નેતૃત્વનો અભાવ છે. તેથી, ફ્રેન્ચાઇઝી હવે રોહિત શર્માને પંજાબની ટીમમાં જોડવાનો પ્રયાસ કરી શકે છે.

 Rohit Sharma: લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન કેએલ રાહુલ વચ્ચે થયેલ મતભેદ પણ હાલ ચર્ચામાં છે.

બીજી તરફ, લખનૌની ટીમની હાલત પણ આવી જ છે. લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન કેએલ રાહુલ વચ્ચે થયેલ મતભેદ પણ હાલ ચર્ચામાં છે. અહેવાલ છે કે ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ગોએન્કા રાહુલથી નારાજ છે. તેથી, એવી પણ શક્યતા છે કે રોહિત આગામી સિઝનમાં લખનૌની ટીમ સાથે જોડાઈ શકે છે.

 

T20 World Cup: ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ પર તોળાયું સંકટ: જો મેચ રદ થાય તો ટીમ ઈન્ડિયા થશે બહાર; જાણો ICC ના કયા નિયમથી ઈંગ્લેન્ડને મળશે ફાઈનલની ટિકિટ.
T20 World Cup 2026: ટીમ ઇન્ડિયાનો સેમીફાઇનલનો રસ્તો સાફ! આ શક્તિશાળી ટીમ સામે થશે મહામુકાબલો; જાણો ક્યારે અને કયા મેદાન પર રમાશે મેચ
Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
India’s T20 Semifinal Race:ભારતની સેમીફાઇનલની આશા અધ્ધરતાલ! દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે પછાડ્યું; જાણો હવે કેવી રીતે ભારત આગળ વધી શકશે?.
Exit mobile version