Site icon

T20 World Cup: શું રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024 રમશે? હવે થયું નક્કી.. આ ઓપનર બેટ્સમેનનું લેશે સ્થાન.. જાણો વિગતે..

T20 World Cup: ટીમ ઈન્ડિયાએ આવતા વર્ષના T20 વર્લ્ડ કપ 2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાવાનો છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે ટી20 સીરીઝ રમવાની છે.

T20 World Cup Will Rohit Sharma play T20 World Cup 2024 Now it is decided.. This opener will replace the batsman.

T20 World Cup Will Rohit Sharma play T20 World Cup 2024 Now it is decided.. This opener will replace the batsman.

 News Continuous Bureau | Mumbai

T20 World Cup: ટીમ ઈન્ડિયા ( Team India ) એ આવતા વર્ષના T20 વર્લ્ડ કપ 2024 ( T20 World Cup 2024 ) માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાવાનો છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા સાઉથ આફ્રિકા ( South Africa ) અને અફઘાનિસ્તાન ( Afghanistan ) સાથે ટી20 સીરીઝ ( T20 series ) રમવાની છે.

Join Our WhatsApp Community

જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા ( Rohit Sharma ) ટી20 વર્લ્ડ કપ 2024માં રમશે તે નિશ્ચિત જણાય છે અને તે આ યુવા ખેલાડીનું સ્થાન લઈ શકે છે.

હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ રમશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. કારણ કે, દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી T20 મેચમાં યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું ( yashasvi jaiswal ) પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી.

BCCI રોહિત શર્માને તક આપી શકે છે…

જેના કારણે BCCI રોહિત શર્માને તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. યશસ્વી જયસ્વાલના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખીને BCCI ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન રોહિત શર્માને T20 વર્લ્ડ કપમાં તક આપી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Narayana Murthy: રતન ટાટા બાદ હવે આ ઔદ્યોગપતિ બન્યા ડિપફેડ વિડીયોનો શિકાર.. વાયરલ વિડીયો પર જાતે આવી આપી ચેતવણી.. જાણો વિગતે…

જો આપણે રોહિત શર્માના T20 કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 148 T20I મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 139.25ની સ્ટ્રાઈક રેટ અને 30ની એવરેજથી 3853 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ અત્યાર સુધીમાં T20Iમાં કુલ 4 સદી અને 29 અડધી સદી ફટકારી છે. સાથે જ રોહિત શર્મા પાસે 8 T20 વર્લ્ડ કપ રમવાનો અનુભવ પણ છે. જેના કારણે રોહિત શર્માને તક મળશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ રોહિત શર્મા ક્રિકેટથી દૂર છે અને તેણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે અને ટી-20 સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જ્યારે રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે અને ફરીથી ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે.

India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
Exit mobile version