Site icon News Continuous Bureau | Mumbai

Team India Return: ટિમ ચેમ્પિયન્સને પરત લાવવા માટે બાર્બાડોસ પહોંચી સ્પેશિયલ ફ્લાઇટ, કર્મચારીઓ હેરાન કહ્યું- આટલું મોટું વિમાન…

Team India Return: વિશ્વ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ સ્વદેશ પરત ફરી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમ ઈન્ડિયા અને તેમના પરિવારના સભ્યો તેમજ ભારતીય મીડિયા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઈન્ડિયાનું બોઈંગ 777 પ્લેન વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે ભારત પહોંચશે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Team India Return Special flight of Air India lands at Barbados Airport. Team India will fly back to the country on this flight.

Team India Return Special flight of Air India lands at Barbados Airport. Team India will fly back to the country on this flight.

 News Continuous Bureau | Mumbai 

Team India Return: ભારતીય ટીમની સ્વદેશ પરત ફરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમની તેમના દેશમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. તોફાનના કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. આ કારણોસર રોહિત અને કંપનીના ઘરે પરત ફરવામાં વિલંબ થયો છે.

Join Our WhatsApp Channel

Team India Return: આટલું મોટું પ્લેન પહેલીવાર અહીં લેન્ડ થયું

Team India Return: ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરશે

દરમિયાન ભારતીય ટીમને સ્વદેશ પરત લાવનાર પ્લેનનો વીડિયો સામે આવ્યો છે. એર ઈન્ડિયાનું આ વિશેષ વિમાન બાર્બાડોસ પહોંચ્યું છે. વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓ જે ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરશે તેને AIC24WC (‘ચેમ્પિયન્સ વર્લ્ડ કપ 24) નામ આપવામાં આવ્યું છે. પહેલીવાર આટલી મોટી ફ્લાઈટ બાર્બાડોસના એરપોર્ટ પર લેન્ડ થઈ છે. ત્યાં એરપોર્ટ પર કામ કરતા કર્મચારીએ જણાવ્યું કે આટલું મોટું પ્લેન પહેલીવાર અહીં લેન્ડ થયું છે. ભારતીય ટીમ આ વિમાન દ્વારા દિલ્હી પહોંચશે. ભારતીય ટીમ ભારતીય સમય અનુસાર 4 જુલાઈએ સવારે 6 વાગ્યે દિલ્હીમાં ઉતરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં માર્ગો પરના ખાડા પુરવા માટે હવે પાલિકા દ્વારા આટલો ખર્ચ કરવામાં આવશે.. જાણો વિગતે..

Team India Return: BCCIએ કરી છે આ ખાસ વ્યવસ્થા 

જણાવી દઈએ કે BCCIએ ટીમ ઈન્ડિયા માટે બાર્બાડોસ માટે ચાર્ટર્ડ ફ્લાઈટ મોકલી છે. જેના કારણે ભારતીય ટીમ રવાના થશે. જો કે અગાઉ ટીમ ઈન્ડિયા મંગળવારે રવાના થવાની હતી, પરંતુ તોફાન બેરીલને કારણે હવે તે બુધવારે રવાના થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ, તેનો સપોર્ટ સ્ટાફ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો ચક્રવાત બેરીલના કારણે છેલ્લા બે દિવસથી અહીં ફસાયેલા છે.

Rishabh Pant LSG Captaincy Left। ઋષભ પંતનું કરિયર દાવ પર? LSG માંથી પત્તું કપાવાના એંધાણ વચ્ચે આ ધાકડ ખેલાડી બનશે નવો કેપ્ટન!
Hardik Pandya Mumbai Indians। હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જોખમમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારના સંકેત
MS Dhoni CSK Coach। IPL 2027 માં બદલાઈ જશે એમએસ ધોનીનો રોલ! સીએસકે (CSK) ના સીઈઓએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ
Exit mobile version