Site icon News Continuous Bureau | Mumbai

World Cup 2023: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા આવશે આમને-સામને, 12 વર્ષ પહેલા આજ મેદાન પર મેળવી હતી જીત… જુઓ બન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન.. વાંચો વિગતે..

World Cup 2023: ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની મેચ રમાશે. ભારત વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ભારતે વર્લ્ડકપમાં 6 મેચ રમી છે અને તમામ 6 મેચ તેને જીતી છે. ભારત હવે શ્રીલંકા સામે મેચ રમશે.

World Cup 2023 India and Sri Lanka will face each other today at the Wankhede Stadium in Mumbai, 12 years ago the victory was won on this ground…

World Cup 2023 India and Sri Lanka will face each other today at the Wankhede Stadium in Mumbai, 12 years ago the victory was won on this ground…

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે મુંબઇ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં વર્લ્ડકપ 2023 (World Cup 2023) ની મેચ રમાશે. ભારત વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ભારતે વર્લ્ડકપમાં 6 મેચ રમી છે અને તમામ 6 મેચ તેને જીતી છે. ભારત હવે શ્રીલંકા સામે મેચ રમશે. આ મેચ જીતીને ભારતની નજર સેમિ ફાઇનલમાં પહોંચવા પર હશે. વર્લ્ડકપ 2023ના પોઇન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાન પર છે જ્યારે શ્રીલંકા સાતમા નંબર પર છે.

Join Our WhatsApp Channel

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આ સાતમી મેચ હશે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 6 મેચો રમી છે અને તમામમાં જીત મેળવી છે.

આ સમાચાર પણ વાંચો :Port Louis: ચીનને હંફાવવા મોરેશિયસમાં ભારતે વિશાળ સૈન્યમથક બનાવ્યું, હિન્દ મહાસાગરમાં ડ્રેગન સામેનો મોરચો થશે મજબૂત… જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

ભારતીય ટીમ ગુરુવારે શ્રીલંકા તરફથી પડકારનો સામનો કરશે. પરંતુ શું વાનખેડે પીચ પર બેટ્સમેન સરળતાથી રન બનાવશે કે બોલરોને મદદ મળશે? વાસ્તવમાં, આંકડા દર્શાવે છે કે વાનખેડેની વિકેટ પર બેટ્સમેન સરળતાથી રન બનાવે છે. આ મેદાન પર ઘણા રન બને છે. જો કે, આ પીચ પર ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે. વાનખેડે પીચ પર નવા બોલ સાથે ફાસ્ટ બોલરો બેટ્સમેનો માટે પડકાર બની શકે છે. 12 વર્ષ પહેલા આજ મુંબઈના મેદાન પર ભારતે ખિતાબ જીતીને એક અબજ દેશવાસીઓને એપ્રિલમાં દિવાળી કરવાનો મોકો આપનાર ભારતીય ટીમ એક વખત ફરી શ્રીલંકા સાથે જ વર્લ્ડ કપની લીગ મેચ રમશે.

હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે રમી શકશે નહીં…

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે રમી શકશે નહીં. સાથે જ એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા કોઈપણ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી શકે છે. એટલે કે, જે પ્લેઈંગ 11 સાથે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું તે લગભગ સમાન પ્લેઈંગ ઈલેવન શ્રીલંકા સામે હશે.

બંને દેશોની પ્લેઈંગ ઈલેવન

ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ

શ્રીલંકાઃ દિમુથ કરુણારત્ને, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સાદિરા સમરવિક્રમા, ચૈરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, મહિષ તિક્ષ્ણા, દિલશાન મદુશંકા, કાસુન રાજિથા અને દુષ્માંતા ચમીરા

 

Vaibhav Suryavanshi Records માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં મચાવી ધમાલ, તોડ્યા અનેક રેકોર્ડ્સ
India’s Victory ભારતનો શાનદાર વિજય અફઘાનિસ્તાન સામે ૧૦૧ રનથી મેળવી ભવ્ય જીત..
Women’s T20 World Cup 2026 મહિલા T20 વર્લ્ડ કપ જીતવા ભારતીય ટીમ તૈયાર, પાકિસ્તાન સામે પ્રથમ ટક્કર.
Shreyas Iyer’s New Luxury Home કેપ્ટન બનતાં જ શ્રેયસ અય્યરનું નવું સાહસ મુંબઈના પોશ વિસ્તાર વરલીમાં ખરીદ્યો લક્ઝરી ફ્લેટ.
Exit mobile version