Site icon News Continuous Bureau | Mumbai

World Cup 2023: પાકિસ્તાન કોઇ મેચ ના જીતે…પોતાની જ ટીમ માટે આ ક્રિકેટરે ઓક્યું ઝેર…જાણો શું છે કારણ..વાંચો વિગતે અહીં..

World Cup 2023: વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની હાલત બધા જાણે છે. આ ટીમ સાઇડલાઇન થઇ ગઈ છે. વર્લ્ડ કપ સેમિફાઇનલની રેસમાંથી બહાર થવાની આરે છે. એક અંદાજ મુજબ, પ્રથમ 5 મેચો પછી, મેન ઇન ગ્રીનની સેમિફાઇનલમાં જવાની શક્યતા માત્ર 8 ટકા છે….

World Cup 2023 Pakistan did not win any match... Cricketer poisoned his team, know the reason

World Cup 2023 Pakistan did not win any match... Cricketer poisoned his team, know the reason

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: વર્લ્ડ કપ 2023 ( ODI World Cup 2023 ) માં પાકિસ્તાન ( Pakistan ) ની હાલત બધા જાણે છે. આ ટીમ સાઇડલાઇન થઇ ગઈ છે. વર્લ્ડ કપ સેમિફાઇનલની ( Semifinal ) રેસમાંથી બહાર થવાની આરે છે. એક અંદાજ મુજબ, પ્રથમ 5 મેચો પછી, મેન ઇન ગ્રીનની સેમિફાઇનલમાં જવાની શક્યતા માત્ર 8 ટકા છે. હવે જરા વિચારો કે આ બધું પાકિસ્તાની ટીમ અને તેના પ્રશંસકોને પીડા આપવા માટે શરૂ થયેલા તીક્ષ્ણ હુમલાથી કમ નથી. જ્યારે પાકિસ્તાની ટીમને પોતાના જ લોકોનું સમર્થન નથી મળતું ત્યારે અન્ય લોકો શું કહેશે? જ્યાં કોઈએ પોતાની ટીમની જીત માટે પ્રાર્થના કરવી જોઈએ, ત્યાં એક અનુભવી ખેલાડી પાકિસ્તાનની હાર માટે શુભેચ્છા પાઠવી રહ્યો છે. આ એક એવો ખેલાડી છે જેને પાકિસ્તાન માટે 268 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ છે. તે વર્લ્ડકપ 2023ની ટીમનો ભાગ નથી, પરંતુ તેણે બહાર બેસીને જે વાતો કહી છે તેનાથી ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Channel

કામરાન અકમલે ( Kamran Akmal ) પાકિસ્તાની ટીવી ચેનલ પર બેસીને વર્લ્ડ કપમાં પોતાની ટીમની હાર વિશે કેમેરા સામે વાત કરી હતી. તેણે કેમેરા પર કહ્યું કે તે ઈચ્છે છે કે પાકિસ્તાન આગામી ચાર મેચો ન જીતે. આ તમામ બાકીની મેચોમાં, જે તેમના માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેઓ તેમાં હારી શકે છે.

હવે સવાલ એ છે કે ટીવી શોમાં બેસીને કામરાન અકમલે આવું કેમ કહ્યું? તેણે જે કહ્યું છે તે માત્ર તેના શબ્દો નથી પરંતુ એક રીતે તે ઝેર છે જે તેણે ફૂંક્યું છે. દિલમાં કડવાશ હોય ત્યારે જ જીભમાંથી આવી વાતો નીકળે છે, તો પછી કામરાન અકમલના આવા કડવા શબ્દો પાછળનું સત્ય શું છે?

પાકિસ્તાન ક્રિકેટને ( Cricket ) સારા સ્તરે ફિક્સ કરવું હશે તો સારું રહેશે કે ટીમ આગામી એકપણ મેચ ન જીતે…

તો જેમ દરેક વસ્તુનું કારણ હોય છે તેમ આનું પણ એક કારણ છે. પાકિસ્તાન માટે 53 ટેસ્ટ, 157 ODI અને 58 T20 રમનાર કામરાન અકમલે આ પાછળનું કારણ કહ્યું, આ તેમનો તર્ક છે જેના અનુસાર પાકિસ્તાન ક્રિકેટને ( pakistan Cricket ) સુધારી શકાય છે. કામરાને કહ્યું કે જો પાકિસ્તાન ક્રિકેટને સારા સ્તરે ફિક્સ કરવું હશે તો સારું રહેશે કે ટીમ આગામી એકપણ મેચ ન જીતે અને ટોપ ચારમાં ન પહોંચે.
જ્યારે કામરાને આ કહ્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે શોમાં તોફાન આવી ગયું છે. હોબાળો થઈ ગયો છે. આ મુદ્દે શોના એન્કરનો કામરાન અકમલ સાથે ટકરાવ થયો હતો. તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાનને હારતા જોઈ શકતા નથી. તમે આ કેવી રીતે કહી શકો? પરંતુ, કામરાન પોતાની વાત પર અડગ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: દક્ષિણ આફ્રિકાની જીતથી પોઈન્ટ ટેબલમાં થયું આ મોટો ઉલટફેર.. જાણો સંપુર્ણ સમીકરણો વિગતે..

કામરાને આવી કડવી વાત એટલા માટે કહી કારણ કે તે અફઘાનિસ્તાન સામે તેની ટીમની હારથી ખૂબ જ દુઃખી છે. કામરાનના મતે, જો આ ટીમ અહીંથી જીતીને સેમીફાઈનલમાં પહોંચે છે તો તેમનો અહંકાર વધી જશે. પછી કોઈ કશું બોલશે નહીં અને પાકિસ્તાન ક્રિકેટની હાલત એવી જ રહેશે. આ જ કારણ છે કે કામરાન અકમલે પાકિસ્તાનની હારની વાત કરી છે, જેથી જો આવું થાય તો પાકિસ્તાન ક્રિકેટને થોડો ફાયદો મળી શકે અને તેમાં સુધારો જોવા મળે મળી શકે છે.

Sarthak Ranjan DPL Stormy Innings ૬, ૬, ૬, ૬, ૬, ૬… DPLમાં પપ્પુ યાદવના પુત્ર સાર્થક રંજનનું તોફાન, ચોગ્ગાછગ્ગાનો વરસાદ વરસાવ્યો
Live Match Commentary Box Clash લાઈવ મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં અંદરોઅંદર ભીડાયા બે પૂર્વ ખેલાડીઓ, માઈક ચાલુ હોવાથી સર્જાઈ અનોખી સ્થિતિ
India Test Match Victory ભારતનો શાનદાર ટેસ્ટ વિજય પ્રથમ મેચમાં શ્રીલંકાને ૧૬૫ રનના વિશાળ અંતરથી હરાવ્યું
VVS Laxman BCCI Director of Cricket ટીમ ઇન્ડિયામાં ‘સુપર પાવર’ બનશે વીવીએસ લક્ષ્મણ? જાણો BCCI શા માટે કરવા જઈ રહ્યું છે આ મોટો બદલાવ
Exit mobile version