Site icon

વાસ્તુ ટિપ્સ- ભૂલ માં પણ આ દિવસો માં ના ખરીદો ફર્નિચર- જાણો કયા દિવસે અને કયા સમયે ઘર માટે નવી વસ્તુઓ ખરીદવી

News Continuous Bureau | Mumbai

લોકો પોતાના ઘરને સુંદર બનાવવા શું શું કરે છે? જૂના જમાનામાં મહિલાઓ પોતાના હાથથી ઘરને શણગારતી હતી. તેના હાથ થી નાની નાની વસ્તુઓ ઉમેરીને તે કંઈક નવું અને સુંદર બનાવતી હતી. જે ઘરમાં રાખવા માટે ખૂબ જ સારી લાગતી હતી. આજે પણ ગામડામાં છોકરીઓ (village girl)ખૂબ જ જોશથી વેસ્ટ મટિરિયલમાંથી શોપીસ બનાવે છે. બીજી તરફ શહેરોની વાત કરીએ તો શાળાઓમાં (school)આવા નાના પ્રોજેક્ટ આપવામાં આવે છે. પણ હવે પહેલા જેવી વાત રહી નથી.આજના યુગમાં લોકો પોતાના ઘરને મોંઘી વસ્તુઓ અને ફર્નિચરથી સજાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ખોટી રીતે ખરીદેલું ફર્નિચર(furniture) તમારા ઘરના વાસ્તુને બગાડી શકે છે. આવી સ્થિતિમાં આજે ચાલો જાણીયે વસ્તુ શાસ્ત્ર પ્રમાણે  નવું ફર્નિચર ખરીદતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Join Our WhatsApp Community

ઘરની સુંદરતામાં ફર્નિચરનું વિશેષ યોગદાન હોય છે અને તેના માટે તમે ઘણા પૈસા પણ ખર્ચો છો. પરંતુ ક્યારેક મોંઘા અને ડિઝાઇનર ફર્નિચર(designer furniture) પણ આપણા ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની જાય છે. આજે અમે તમને જણાવીશું કે કયો દિવસ તમારા માટે ફર્નિચર ખરીદવા માટે શુભ રહેશે અથવા તમારે કયા દિવસે ફર્નિચર માટે લાકડા ખરીદવા જોઈએ અને કયા દિવસે તે ખરીદવું તમારા માટે અશુભ રહેશે.

મંગળવાર, શનિવાર અને અમાવસ્યાના દિવસે ફર્નિચર કે લાકડાની ખરીદી (buy)ન કરવી. તમે આ દિવસો સિવાય કોઈપણ દિવસે ફર્નિચર(furniture) ખરીદી શકો છો. આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે ફર્નિચર કયા ઝાડના લાકડામાંથી બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સકારાત્મક ઉર્જાવાળા વૃક્ષના લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ. શીશમ, ચંદન, લીમડો, અશોક, સાગ, સાલ અને અર્જુન, આ બધા શુભ ફળ આપે છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ-જો તમારા ઘરમાં પણ નળ માંથી સતત પાણી ટપકતું હોય તો થઇ જાઓ સાવધાન-આર્થિક સંકટ નો કરવો પડી શકે છે સામનો

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ? વર્ષ 2026 માં ઉત્તરાયણ અને ષટતિલા એકાદશીનો અદભૂત સંયોગ, જાણો દાન અને ખીચડીનું મહત્વ.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version