Site icon

વાસ્તુ ટિપ્સ- ઘરમાં પીપળનું ઝાડ ઉગાડવું છે અશુભ-રૂઠી જાય છે ભાગ્યની રેખાઓ-જાણો ક્યાં આ ઝાડ ઉગાડવું છે શુભ

News Continuous Bureau | Mumbai

પીપળના વૃક્ષને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં દેવી લક્ષ્મીનો (devi laxmi)વાસ હોય છે. પીપળના વૃક્ષની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ પીપળના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ઘરમાં પીપળનું ઝાડ અથવા છોડ ઉગાડવો અશુભ છે. જો આ વૃક્ષ ઘરના ખૂણામાં ઉગતું હોય તો તેનો અર્થ છે કે ઘર વાસ્તુ દોષના(vastu dosh) પ્રભાવમાં છે. જો તમારા ઘરમાં પણ આ વૃક્ષ ઉગતું હોય તો જ્યોતિષમાં તેના માટે ઉપાયો જણાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

હિંદુ ધર્મમાં પીપળનું વૃક્ષ ખૂબ પૂજનીય છે. પરંતુ જો આ વૃક્ષ પાર્ક, મંદિર કે રસ્તાની બાજુમાં ઉગે તો જ સારું  અને શુભ(lucky) છે. જો પીપળનો છોડ ઘરની અંદર અથવા ઘરના ખૂણામાં ઉગે છે, તો તેનો અર્થ એ છે કે તમારા પર મોટી આર્થિક આફત આવવાની છે. પીપળના ઝાડને નષ્ટ કરવું પણ અશુભ માનવામાં આવે છે, તેથી તમારે તે વૃક્ષની રક્ષા કરવી જોઈએ. તેને માટીની સાથે ખોદીને તેને એવી જગ્યાએ વાવો જ્યાં તે ઉગી શકે.

આ સમાચાર પણ વાંચો :  વાસ્તુ ટિપ્સ- જો પતિ-પત્ની એક જ થાળીમાં ખાય તો બરબાદ થઈ શકે છે ઘર-જાણો શું કહે છે શાસ્ત્રો

વાસ્તુશાસ્ત્રમાં પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા છે. શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ (shani dev)પ્રસન્ન થાય છે અને શનિ દોષ દૂર થાય છે. સાથે જ વ્યક્તિના બધા દુ:ખોમાંથી મુક્તિ મળે છે.

Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Exit mobile version