Site icon News Continuous Bureau | Mumbai

કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડાના સાત વર્ષ પછી જેનિફર વિંગેટે તોડ્યું મૌન-જણાવી તેની આપવીતી

 News Continuous Bureau | Mumbai

વેબ સિરીઝ કોડ એમ 2 ની બીજી સીઝનમાં જોવા મળેલી ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટે(Jennifer Winget) તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે પતિ કરણ સિંહ ગ્રોવર(Karan Singh grover) સાથે લગ્નના બે વર્ષ પછી છૂટાછેડા કેમ થયા? એક સમય હતો જ્યારે જેનિફર અને કરણને ઈન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ(best couple) તરીકે જોવામાં આવતા હતા. પરંતુ દંપતીના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. બંનેએ 2012માં લગ્ન કર્યા અને માત્ર 2 વર્ષમાં એટલે કે 2014માં અલગ થઈ ગયા. છૂટાછેડાના(divorse) લગભગ 8 વર્ષ પછી, જેનિફરે આ વિશે વાત કરી અને તે દિવસોના તણાવપૂર્ણ જીવન વિશે વાત કરી. બંનેએ ટીવી શો દિલ મિલ ગયેના સેટ પર ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

Join Our WhatsApp Channel

ઈન્ટરવ્યુ દરમિયાન જેનિફર વિંગેટે કહ્યું- હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી, હું કંઈ સમજી શકતી નહોતી. જો કે, મેં મારી જાતને કોઈક રીતે સંભાળી હતી. પછી મેં મારી જાત ને વ્યસ્ત કરી દીધી જેથી કરીને હું તે ભયાનક તબક્કામાંથી બહાર આવી શકું. તે સમયે લોકોએ મારા પર ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ(comments) પણ કરી હતી, જેના કારણે હું ખૂબ જ પરેશાન હતી. હું એકલો રહેવા માંગતી હતી પરંતુ લોકોએ મને આમ કરવા ન દીધું. તે સમય મારા માટે ખૂબ જ ખરાબ હતો. જો કે તે તબક્કામાંથી બહાર આવવું મારા માટે સરળ નહોતું પરંતુ તેમ છતાં મેં મારી જાતને મજબૂત કરી. મને લાગ્યું કે મારે હજુ ઘણું કરવાનું બાકી છે અને નવું જીવન (new life)શરૂ કર્યું. આ રીતે હું જેનિફર 2.0 બની. પોતાની વાત આગળ વધારતા તેણે કહ્યું- જ્યારે મેં પાછળ જોયું તો તે મારા જીવનનો શ્રેષ્ઠ સમય(best time) હતો. તે સમયે એવું લાગતું નહોતું, પરંતુ જે કંઈ પણ થયું, હું અત્યારે છું તેના કરતાં ઘણી સારી  છું.

આ સમાચાર પણ વાંચો : કંગના રનૌતે નદીના પથ્થર અને લાકડા વડે બનાવ્યું પોતાનું નવું ઘર-જુઓ અભિનેત્રી ના મનાલીના નવા ઘરની અંદરની તસવીરો

જેનિફર વિંગેટે કહ્યું- ક્યારેક કેટલીક વસ્તુઓ શ્રેષ્ઠ માટે થાય છે. તમને જણાવી દઈએ કે જેનિફરથી છૂટાછેડા (Jennifer winget divorce)લીધા બાદ કરણ સિંહ ગ્રોવર બિપાશા બાસુની(Bipasha Basu) નજીક આવ્યો હતો. બંનેએ અલોન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને આ દરમિયાન બંને નજીક આવ્યા હતા. થોડો સમય ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન(marriage) કરી લીધા. આપને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં કરણે કહ્યું હતું કે તેના અને જેનિફરના લગ્ન સૌથી મોટી ભૂલ હતી.

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version