Site icon News Continuous Bureau | Mumbai

‘જંજીર’એ કર્યા 50 વર્ષ પૂરાં, જાણો ફિલ્મની રસપ્રદ વાતો જેણે અમિતાભ બચ્ચન ને આપ્યું એન્ગ્રી યંગ મેન નું બિરુદ

જંજીર રિલીઝ થયા બાદ અમિતાભ બચ્ચન રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા. આ ફિલ્મ ઘણા સુપરસ્ટાર્સને ઓફર કરવામાં આવી હતી, પરંતુ બધાએ તેને ફગાવી દીધી હતી.આવો જાણીએ આ ફિલ્મ થી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

50 years of zanjeer know interesting facts about amitabh bachchan film

'જંજીર'એ કર્યા 50 વર્ષ પૂરાં, જાણો ફિલ્મની રસપ્રદ વાતો જેણે અમિતાભ બચ્ચન ને આપ્યું એન્ગ્રી યંગ મેન નું બિરુદ

News Continuous Bureau | Mumbai

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર વર્ષે સફળ ફિલ્મો બને છે, પરંતુ એવી ઘણી ઓછી ફિલ્મો છે જે ટ્રેન્ડને બદલવાની શક્તિ ધરાવે છે. 70 ના દાયકામાં, આ વિચાર સાથે, ડિરેક્ટર પ્રકાશ મહેરાએ એક આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મ બનાવવાની પહેલ કરી. આ ફિલ્મનું નામ હતું ‘જંજીર’. તેની ખાસ વાત એ હતી કે આ ફિલ્મમાં એવી કોઈ વસ્તુ ન હતી જે તે જમાનાની ફિલ્મોમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. આ જ કારણ છે કે તેના નિર્દેશકને ફિલ્મ બનાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જંજીરે સફળતાનો ઝંડો લહેરાવ્યાને આજે 50 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં અમે તમને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Channel

 

જંજીર ફિલ્મ માટે અમિતાભ બચ્ચન હતા છેલ્લી પસંદગી 

અમિતાભ બચ્ચનની જંજીર 11 મે 1973ના રોજ રિલીઝ થઈ હતી. અમિતાભના કરિયરની આ પહેલી સુપરહિટ ફિલ્મ હતી. બિગ બીને એંગ્રી યંગ મેનનું નામ આ ફિલ્મ પરથી મળ્યું. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે જંજીર માટે અમિતાભ પહેલી નહીં પણ છેલ્લી પસંદગી હતા. મહાનાયક પહેલાં, આ ફિલ્મને ધર્મેન્દ્ર, શમ્મી કપૂર, રાજકુમાર, દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા સ્ટાર્સે નકારી કાઢી હતી. એવું પણ કહેવાય છે કે રાજકુમારને પ્રકાશ મહેરાના વાળના તેલની સુગંધ પસંદ ન હતી, જેના કારણે તેણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.ઘણા મોટા સ્ટાર્સે આ ફિલ્મને નકારી કાઢ્યા પછી અમિતાભને જ્યારે જંજીર ઑફર કરવામાં આવી, ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. જણાવી દઈએ કે તે દિવસોમાં અમિતાભની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી, જેના કારણે તેઓ વિચારી રહ્યા હતા કે તેમને આ ફિલ્મમાં કેમ કાસ્ટ કરવામાં આવી રહ્યા છે.

 

જંજીર ફિલ્મ માટે પ્રાણે પોતાનો ગેટઅપ તૈયાર કર્યો

જંજીર માં પ્રાણનું પાત્ર ખૂબ જ મજબૂત હતું. આ ફિલ્મ માટે તેણે પોતે ઘણી તૈયારી કરી હતી. એવું કહેવાય છે કે તેણે પોતે જ શેરખાનના રોલ માટે પોતાનો ગેટઅપ તૈયાર કર્યો હતો. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, જંજીર સમયે મનોજ કુમારે પ્રાણને બે ફિલ્મોની ઓફર કરી હતી, પરંતુ આ માટે તેણે જંજીર થી દૂર રહેવું પડશે. જેના કારણે પ્રાણે  મનોજ કુમારે ના પાડી હતી.

 

જંજીર ફિલ્મે રચ્યો ઇતિહાસ 

જંજીર પહેલા અમિતાભની ઘણી ફિલ્મો ટિકિટ બારી પર નિષ્ફળ ગઈ હતી. સતત નિષ્ફળતા બાદ બિગ બી પણ ઘણા નિરાશ થયા હતા. તેણે શૂટિંગ દરમિયાન પ્રકાશ મહેરાને કહ્યું હતું કે જો આ ફિલ્મ નહીં ચાલે તો તે અલ્હાબાદ (પ્રયાગરાજ) પરત ફરશે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રકાશે ખુલાસો કર્યો હતો કે શૂટિંગ દરમિયાન અમિતાભ ખૂબ જ પરેશાન રહેતા હતા. આ જ વાતચીતમાં તેણે જણાવ્યું કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને કોલકાતામાં સારો રિસ્પોન્સ મળ્યો હતો, પરંતુ મુંબઈમાં ત્રણ દિવસ સુધી ફિલ્મ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. બધાને લાગ્યું કે આ ફિલ્મ ફ્લોપ થશે. ફિલ્મનું પ્રદર્શન જોઈને અમિતાભ એટલા ડરી ગયા કે તેમને તાવ પણ આવી ગયો. જો કે, ચોથા દિવસે ફિલ્મે ગતિ પકડી અને બહુ ઓછા સમયમાં ઈતિહાસ રચી દીધો.

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version