Site icon

7 મહિના બાદ 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર ખુલશે, સાથે આ છ ફિલ્મ પણ રી-રિલીઝ થશે… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

દેશભરના મોટાભાગના થિએટરો કોરોના વાયરસ મહામારી વચ્ચે ફરીથી ખોલવા માટે સુયોજિત છે. આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી એકવાર ખુલવા જઈ રહ્યા છે. સરકારે 50% બેઠક ક્ષમતા સાથે થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, ઘણી ફિલ્મો ફરી એકવાર મોટા પડદે રજૂ થશે. આ તે ફિલ્મો છે જે ભૂતકાળમાં મોટા પડદા પર બતાવવામાં આવી છે.

Join Our WhatsApp Community


 
એક ટ્રેડ એનાલિસ્ટે ટ્વીટ કરીને ફિલ્મ અંગે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'આ અઠવાડિયે થિયેટર ફરીવાર ખુલી રહ્યા છે. છ હિંદી ફિલ્મ આ અઠવાડિયે રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં 'તાન્હાજી', 'વૉર', 'શુભ મંગલ ઝ્યાદા', 'મલંગ', 'થપ્પડ' તથા 'કેદારનાથ' શામેલ છે. આગામી દિવસોમાં અન્ય ફિલ્મના નામે સામે આવશે.'

આ તમામ ફિલ્મમાંથી 'કેદારનાથ' 2018માં રિલીઝ થઈ હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને તેથી જ સુશાંતના ચાહકો માટે આ ફિલ્મ ફરી વાર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સુશાંતની સાથે સારા અલી ખાન હતી. સારાની આ ડેબ્યૂ ફિલ્મ હતી.

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version