Site icon

7 મહિના બાદ 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર ખુલશે, સાથે આ છ ફિલ્મ પણ રી-રિલીઝ થશે… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

દેશભરના મોટાભાગના થિએટરો કોરોના વાયરસ મહામારી વચ્ચે ફરીથી ખોલવા માટે સુયોજિત છે. આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી એકવાર ખુલવા જઈ રહ્યા છે. સરકારે 50% બેઠક ક્ષમતા સાથે થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, ઘણી ફિલ્મો ફરી એકવાર મોટા પડદે રજૂ થશે. આ તે ફિલ્મો છે જે ભૂતકાળમાં મોટા પડદા પર બતાવવામાં આવી છે.

Join Our WhatsApp Community


 
એક ટ્રેડ એનાલિસ્ટે ટ્વીટ કરીને ફિલ્મ અંગે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'આ અઠવાડિયે થિયેટર ફરીવાર ખુલી રહ્યા છે. છ હિંદી ફિલ્મ આ અઠવાડિયે રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં 'તાન્હાજી', 'વૉર', 'શુભ મંગલ ઝ્યાદા', 'મલંગ', 'થપ્પડ' તથા 'કેદારનાથ' શામેલ છે. આગામી દિવસોમાં અન્ય ફિલ્મના નામે સામે આવશે.'

આ તમામ ફિલ્મમાંથી 'કેદારનાથ' 2018માં રિલીઝ થઈ હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને તેથી જ સુશાંતના ચાહકો માટે આ ફિલ્મ ફરી વાર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સુશાંતની સાથે સારા અલી ખાન હતી. સારાની આ ડેબ્યૂ ફિલ્મ હતી.

Rajpal Yadav Net Worth: રાજપાલ યાદવની નેટવર્થ અને મુશ્કેલીઓ: કરોડોની સંપત્તિ છતાં જેલ જવાનો કેમ આવ્યો વારો? જાણો કેટલી છે તેની કમાણી અને કોણ આવ્યું મદદે
YRKKH TRP Fall: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના વળતા પાણી: ‘અનુપમા’ ને ટક્કર આપતો શો સતત ૨ મહિનાથી Top-5 માંથી બહાર, મેકર્સની તમામ કોશિશો નિષ્ફળ
ZNMD 2: બેગ પેક કરી લો! ‘ઝિંદગી ના મિલેગી દોબારા ૨’ પર સત્તાવાર મહોર: જોયા અખ્તરે સ્ક્રિપ્ટ કરી લોક, ફરી જોવા મળશે ઋતિક-ફરહાન-અભયનો મેજિક
Dhurandhar: The Revenge: ‘ધુરંધર: ધ રિવન્જ’ ના ધમાકા માટે તૈયાર રહો! ફેબ્રુઆરીમાં રિલીઝ થશે પાવરફુલ ગીત, જાણો કઈ તારીખે લોન્ચ થશે ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટ્રેલર
Exit mobile version