Site icon

એક સામાન્ય માણસે અમીર ખાનની ઠેકડી ઉડાડી : કહ્યું જે પોતાની પત્ની સાથે વફાદાર નથી તે મારા પૈસા સાથે કઈ રીતે વફાદાર રહેશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

 

મધ્ય પ્રદેશના ઇન્દોરથી એક રસપ્રદ સમાચાર છે. બૉલિવુડ અભિનેતા આમિર ખાનને જાહેરાતમાં લીધા બાદ ગુસ્સે ભરાયેલા ગ્રાહકે પોતાનું બૅન્ક ખાતું બંધ કરી દીધું. ગ્રાહક કૃષ્ણા રાઠોડે કહ્યું, 'દેશમાં અસુરક્ષિત હોવાનો દાવો કરનારી વ્યક્તિ, જે પોતાની પત્નીને પણ રક્ષણ આપી શક્યો નથી તેની જાહેરાત કરીને બૅન્કે લાખો ગ્રાહકોનાં મનમાં શંકા પેદા કરી છે. એથી એક સાચા હિન્દુ હોવાથી મેં મારું ખાતું બંધ કરી દીધું છે.

ગ્રાહક કૃષ્ણા રાઠોડે કહ્યું, 'મેં વધુ લોકોને તેમના બૅન્ક ખાતાં બંધ કરવાની અપીલ કરી છે, કારણ કે દેશ સર્વોપરી છે. દેશવિરોધી વાતો કરનારાઓનો બહિષ્કાર થવો જોઈએ, ગમે તે સ્વરૂપે હોય. બૉલિવુડ અભિનેતા આમિર ખાને 2015માં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે દેશમાં અસહિષ્ણુતાના વાતાવરણને કારણે તે અને તેની પત્ની ભારતમાં રહેવાથી ડરે છે. ભારતમાં મુસ્લિમો સૌથી વધુ સુરક્ષિત છે.જો કે આમિર ખાન તેની પત્નીનું રક્ષણ પણ કરી શક્યો ન હતો અને તેણે પણ છૂટાછેડા લીધા હતા. આવી સ્થિતિમાં આમિર ખાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

બૉલિવુડના પાંચ સંબંધો જેના સમાચાર સાંભળ્યા ન હતા, જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે લોકોને આશ્ચર્ય થયું

રાઠોડે કહ્યું, 'બૅન્કનું વર્તન ગ્રાહકોના વિશ્વાસ પર ચાલે છે, પરંતુ હવે આમિર ખાન જે રીતે AU બૅન્કની જાહેરાત કરી રહ્યો છે, બૅન્ક નફાને બદલે નુકસાન કરી રહી છે. કારણ કે લોકોનો બૅન્ક પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. એ જ સમયે બૅન્ક ગ્રાહકોને કરોડો રૂપિયા આપીને આમિર ખાનની જાહેરાત કરી રહી છે, જે બિલકુલ યોગ્ય નથી. એથી લોકોએ પણ તેના વિશે વિચારવું પડશે. નોંધનીય છે કે અગાઉ રતલામના એક ગ્રાહકે પણ આમિર ખાનની જાહેરાતને કારણે તેની FD કરાવવાનો ઇનકાર કર્યો હતો.

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version