Site icon

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નહીં કરે ડેસ્ટિનેશન વેડિંગ, આ મોટું કારણ આવ્યું સામે ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

બુધવાર

 

વિકી કૌશલ અને કેટરિના કૈફના શાહી લગ્ન બાદ હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચાઓ દરેક જગ્યાએ થઈ રહી છે. અગાઉ સમાચાર હતા કે બંને આ ડિસેમ્બરમાં સાત ફેરા લેવાના છે. આ પછી સમાચાર આવ્યા કે બંને અત્યારે લગ્ન નહિ  પરંતુ સગાઈ કરવાના છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન એક વર્ષ માટે ટાળી દેવામાં આવ્યા છે. પરંતુ હવે તેમના લગ્ન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. 

મીડિયા રિપોર્ટ્સ માં તેમના લગ્નને લગતી નવીનતમ માહિતી સામે આવી રહી છે. એટલે કે હાલમાં બંને ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ નથી કરી રહ્યા. અગાઉ સમાચાર આવ્યા હતા કે બંને રાજસ્થાનમાં તેમના લગ્નનું લોકેશન શોધી રહ્યા છે. પરંતુ હવે સમાચાર છે કે તેઓએ ડેસ્ટિનેશન વેડિંગને બદલે મુંબઈમાં લગ્ન કરવાની યોજના બનાવી છે. અને તેનું કારણ છે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ.એવું કહેવામાં આવી રહ્યું છે કે મહેશ ભટ્ટ બહુ દૂરની મુસાફરી કરી શકતા નથી, તેથી તેમની ખુશી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આલિયા અને રણબીર મુંબઈમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. કપૂર અને ભટ્ટ પરિવાર સિવાય આ લગ્ન ખૂબ જ નજીકના લોકોની હાજરીમાં થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે તાજ હોટલ બુક કરવામાં આવી રહી છે.

અબુ ધાબીમાં યોજાનાર IIFA 2022 એવોર્ડ નાઈટ ને હોસ્ટ કરશે બોલિવૂડ નો આ દિગ્ગજ અભિનેતા; જાણો વિગત

પહેલા એવા સમાચાર હતા કે બંનેના લગ્ન એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યા છે, પરંતુ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે આ અંગે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે જો ફરી એકવાર કોરોના મહામારી નહિ નડે તો  તે જલ્દી લગ્ન કરી લેશે. આ ઈન્ટરવ્યુમાં પહેલીવાર રણબીરે આલિયા ભટ્ટના વખાણ પણ કર્યા હતા. એટલે કે ટૂંક સમયમાં જ બોલિવૂડમાં વધુ એક શહેનાઈ વાગવા જઈ રહી છે.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version