Site icon

અમિતાભ બચ્ચન કરવા જઈ રહ્યા છે આ સુપરસ્ટાર સાથે ત્રીજા વિશ્વયુદ્ધ પર આધારિત ભારતની સૌથી મોટી ફિલ્મ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શનિવારથી તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સમાચાર ખુદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શૅર કર્યા છે. તેમણે કહ્યું છે કે તે શનિવારથી તેમની નવી ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. અભિનેતાએ આ ફિલ્મના શૂટિંગ અંગે માહિતી આપતાં જણાવ્યું નથી કે કઈ ફિલ્મના શૂટિંગ માટે જઈ રહ્યા છે. એક સમાચાર અનુસાર અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ ગયા છે. બિગ બી ત્યાં નાગ અશ્વિન ના નિર્દેશનમાં બનનારી તેમની આગામી ફિલ્મ માટે પહોંચ્યા છે. અહેવાલ છે કે અભિનેતા આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ સાથે જોવા મળશે. જ્યાં આ ફિલ્મનું મુહૂર્ત શૉર્ટ શૂટ યોજાનાર છે. કલાકારો અહીં 6થી 7 દિવસ માટે શૂટિંગ કરવાના છે.આ ફિલ્મના મુહૂર્તમાં પ્રભાસ પણ જોવા મળશે. પ્રભાસ અને અમિતાભ બચ્ચન આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે. જ્યાં આગામી શેડ્યુલમાં દીપિકા પાદુકોણ આ ફિલ્મના શૂટિંગનો હિસ્સો બનીને આપણને જોવા મળશે.

‘ધ ફૅમિલી મૅન’ની ‘સૂચિ’નાં લગ્ન રીલ લાઇફની જેમ રિયલ લાઇફમાં પણ ભંગાણ ના આરે? જાણો વિગત

ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી આ ફિલ્મનું કોઈ નામ ફાઇનલ કર્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતની સૌથી મોટી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. જ્યાં આ ફિલ્મની વાર્તા દ્વારા આપણને ભવિષ્યમાં થનારું ત્રીજું વિશ્વ યુદ્ધ બતાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતની સાથે સાથે ઘણા અન્ય દેશોમાં ડબ કરીને રજૂ કરવામાં આવશે.

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version